મોરબી: માળિયા (મી) તાલુકાના મોટા ભેલા ગામે ૧૪ વર્ષની માસૂમ બાળકી ઉપર ૪૦ વર્ષના પ્રૌઢ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું છે.
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ માળીયા(મી)ના મોટાભેલા ગામે ખેત મજૂરી કામ કરતા શ્રમિક પરિવારની સગીર વયની બાળકીને ખેતરના માલિક ભરત નારણભાઈ સુરાણી (ઉ.વ.૪૦) નામના હવસખોરે બાળકીને શિકાર બનાવી છે અને આરોપી દ્વારા આ શ્રમિક પરિવારને બીજાના ખેતરેથી થોડા દિવસો પહેલાજ પોતાના ખેતર એ લઈ આવ્યો હતો અને બાદમાં ગઈકાલે સાંજે એકલતાનો લાભ લઈને આ કૃત્યને અંજામ આપ્યો હતો. આ બનાવ બાદ બાળકીને ગંભીર હાલતમાં માળીયા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે. હાલ બાળકીની તબિયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમજ માળીયા(મી) પોલીસની ટીમ દ્વારા પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે અને આરોપી પોલીસના હાથવેંતમાં હોવાનું જાણવા મળી રહ્યું છે.
પૂર્વ સાંસદ રામજીભાઈ માવાણી, રમાબેન માવાણી, જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા મુસ્કાન વેલ્ફેર સોસાયટી મોરબીના સામાજીક, સેવાકાર્યોને બિરદાવી મોમેન્ટો સાથે સંસ્થાના સભ્યોને સન્માનિત કરાયા
અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી સ્થિત મહિલાઓ દ્વારા સ્થાપિત અને સંચાલિત મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા અનેક પ્રકારના શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગાર, મહિલા સશક્તિકરણ, રાષ્ટ્રીય...
આગામી 13 એપ્રિલથી 16 એપ્રિલ દરમિયાન દિલ્હીના યશોભૂમિ કન્વેન્શન સેન્ટરમાં યોજાવા જઈ રહેલા દેશના સૌ પ્રથમ પ્રીમિયમ ઇન્ટરનેશનલ બિલ્ડિંગ મટીરિયલ્સ એક્ઝિબિશન ‘વાયબ્રન્ટ બિલ્ડકોન 2025’ ને આડે હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે આ એક્ઝિબિશનને લઈને આયોજકો અને આ એક્ઝિબિશનમાં ભાગ લઈ રહેલા એક્ઝિબિટર્સમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા...
મોરબી શહેરમાં આવેલ હેવી ટ્રાન્સમીટરની ફરતે લોખંડની ગ્રીલ લગાવવામાં આવે અને ખુલ્લી ફ્યુઝ પેટીમાં ઢાંકણા લગાવવામાં આવે જેથી કોઈ અનિચ્છનિય ઘટના ન ઘટે તે માટે મોરબી શહેર પીજીવીસીએલના ડેપ્યુટી ઈજનેરને મોરબી શહેર કોંગ્રેસ સંગઠન મંત્રી દ્વારા લેખિત રજૂઆત કરી માંગ કરી છે.
મોરબી શહેર કોંગ્રેસ સંગઠન મંત્રી સુરપાલસિંહ જાડેજા દ્વારા...