Thursday, June 19, 2025

GPSCએ ફાઈનલ આન્સર કીમાં ભાંગરો વાટ્યો, 10 જવાબમાં વિસંગતતા !

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

જીપીએસસીએ ક્લાસ વનની પ્રાથમિક કસોટીનું પરિણામ જાહેર કરાયું હતું, પરંતુ ઉમેદવારોએ ફાઇનલ આન્સર કીના ૧૦ પ્રશ્નના જવાબ ખોટા હોવાની રજૂઆત કરી છે.

જીપીએસસી દ્વારા જાન્યુઆરી 8 2023 ના રોજ પ્રાથમિક પરીક્ષા લેવામાં આવેલી જેની ફાઈનલ આન્સર કી 10-04 – 2023 ના રોજ બહાર પાડેલ જેનું પરિણામ 18-04- 2023 ના રોજ પ્રસિદ્ધ કરાયું જેમાં કુલ 3806 વિદ્યાર્થીઓને મુખ્ય પરીક્ષા માટે ઉત્તરાયણ કરાયેલ છે.

પરંતુ ફાઈનલ આન્સર કી ની ગહનતાપૂર્વક અભ્યાસ કરતા જાણવા મળેલ છે કે આન્સર કી માં હજુ પણ ક્ષતિઓ રહેલી છે આ ક્ષતીઓના કારણે ઘણા બધા ઉમેદવારો ખરેખર મુખ્ય પરીક્ષાને લાયક હોવા છતાં આન્સર કી ભૂલોના કારણે લેખિત પરીક્ષા માટે ઉત્તરાયણ થયેલ નથી. એવું નથી કે આ છતી પ્રથમ વખત છે અગાઉ ચેરમેન દિનેશ દાસાના સમય પણ આવી ભૂલો જોવા મળેલી હતી પરંતુ તેમણે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય કરતા ક્ષતી દૂર કરી ફરીથી સુધારા સાથે પરિણામ જાહેર કરેલ.

તાજેતરમાં ACF અને DYSOની ફાઈનલ આન્સર કી માં ક્ષતીઓ જોવા મળેલ છે જેની રજૂઆત ગુજરાત જાહેર સેવા આયોગના ચેરમેન નલિન ઉપાધ્યાયને રૂબરૂ કરવામાં આવેલી હતી. પરંતુ તેમના દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવેલ ન હત. ચેરમેન દ્વારા એક્સપર્ટ કમિટી બેસાડી નિર્ણય લેવામાં આવશે તેવી સ્તવના આપેલ વિદ્યાર્થી દ્વારા ક્ષતિ સહિત પ્રશ્નો માટે GCRT, NCERT ગુજરાત સરકાર માન્ય પુસ્તકોના પુરાવા રજૂ કરવા છતાં એક્સપર્ટ કમિટી દ્વારા ધ્યાનમાં નથી લેવામાં આવતતુ gpsc ની ક્લાસ વન ટુ ની પરીક્ષામાં ઉમેદવારનું સંપૂર્ણ એક-બે વર્ષની મહેનત આવી ક્ષતીના કારણે બગડે છે એક બંધારણીય સંસ્થા હોવા છતાં રાજ્યના યુવાનોનું હિત અને ભવિષ્ય વિશે વિચારવું જોઈએ અને વિદ્યાર્થીઓ અન્યાયનો ભોગ બનતા હાઇકોર્ટ અને મીડીયા સમક્ષ ન્યાય માટે અપીલ કરે છે. તેમજ 20-04-2023 ના રોજ વિદ્યાર્થીઓ દ્વારા ગુજરાત જાહેર સેવા આયોગના ચેરમેન સમક્ષ રજૂઆત કરેલ છે પરંતુ તેમના દ્વારા કોઈ હકારાત્મક પ્રતિભાવ મળેલ નથી.

જેથી ઉમેદવારો દ્વારા ગુજરાત જાહેર સેવા આયોગના અધ્યક્ષને જણાવવામાં આવ્યું છે કે આયોગ દ્વારા તારીખ 10-04 -2022 ના રોજ જાહેરાતની ફાઇનલ આન્સર કી તથા 18-04- 2023ના રોજ પ્રિલિમ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવેલ હતું. જે અનુસાર આયોગ દ્વારા રજુ થયેલ ફાઇનલ આન્સર કીમાં દશ જેટલા પ્રશ્નોના જવાબમાં વિસંગતતા જોવા મળેલ છે જે અંગેના પ્રશ્નોને વિગત તથા સંભવિત જવાબો તથા તેના માટેની જરૂરી આધારભૂત પુરાવા અરજી સાથે સામેલ કરેલ છે અને ઉમેદવારો દ્વારા આયોગના ચેરમેન રજુઆત કરી છે કે અમારા દ્વારા રજૂ કરવામાં આવૂલ પુરાવાઓને ધ્યાનમાં રાખીને યોગ્ય કાર્યવાહી કરી ઉમેદવારમાં વિશાળ હિતમાં યોગ્ય નિર્ણય કરવામાં આવે તેવી રજૂઆત કરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર