મોરબી માં ધીમે ધીમે ક્રાઇમ વધી રહ્યા છે. ધોળા દિવસે ફાયરિંગ, લૂંટ, મારામારી , ખૂબ , ચોરી, ઉદ્યોગકારો પર હુમલો જેવા કિસ્સાઓ ની મોરબી વાસીઓ ને હવે જાણે આદત પડી ગઈ છે. અવાર નવાર આવા કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે મોરબી તાલુકા ના ઊંચી માંડલ ગામ નજીક આવેલ મોબાઈલ ની શોપ માં લુટારુઓ એ ધોળા દિવસે ફાયરિંગ કરીને લૂંટ ચલાવી હતી.
મોરબી તાલુકા ના ઊંચી માંડલ ગામ નજીક આજ રોજ સાંજે સાડા ચાર વાગ્યાના અરસામાં મોબાઈલની શોપમાં લૂંટારુઓ દ્વારા બંધુક ના ભડાકા કરીને લૂંટ ચલાવવામાં આવી હતી. આશરે ૨૫ હજારની લૂંટ ચલાવી લુટારુઓ રફુચક્કર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસ એક્શન મોડ માં આવી છે.
ધોળા દિવસે થયેલ આ લૂંટ અંગેની જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના ઊંચી માંડલ નજીક તડાવિયા શનાળા જવાના રસ્તા પર એક મોબાઈલ ની શોપ માં આજ રોજ સાંજના સાડા ચારેક વાગ્યાના અરસામાં ૨ ઇસમો મોબાઈલમાં ગ્લાસ નખવવના બહાને શોપમાં ઘૂસી ગયા હતા ત્યારે દુકાનના માલિકે તેમને ગ્લાસ નાખી આપ્યો હતો બાદ પૈસા માગતા લૂંટારુએ દરવાજો બંધ કરી બંધુક બતાવી ” જીતના પૈસા હૈ નીકાલો” કહી ફાયરિંગ કરી ને રૂપિયા ૨૫ હાજર ની લૂંટ ચલાવી હતી. આ મામલે હાલ પોલીસ તપાસ કરી રહી છે.
આવી જ ઘટનાઓ દિનપ્રતિદિન મોરબીમાં વધી રહી છે. અવારનવાર આવી ઘટનાઓ બની રહી છે. ત્યારે થોડા સમય પહેલા મોરબીની મુલાકાતે અને કાયદા અને વ્યવસ્થાની સમીક્ષા કરવા આવેલ ગુજરાતના માનન્ય ગૃહમંત્રી “હર્ષ સંઘવી” સાહેબ એ કહ્યું હતું કે મોરબી જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં ક્રાઇમ રેટ ઘટયો છે.
શું સાચે ક્રાઇમ રેટ ઘટયો છે ?
શું સત્ય છે એ તો મોરબીની હોશિયાર જનતા સારી રીતે જાણે છે સાહેબ.
મોરબી શહેરમાં વોર્ડ નંબર- 2માં આવેલ લાઈન્સ નગર મુખ્ય માર્ગ તેમજ ગોર ખીજડીયા માર્ગ તરીકે ઓળખાય છે તે બને માર્ગો ને આઇકોનિક રોડ (Iconic Road) તરીકે ફાણવણી કરવા જાગૃત નાગરિક પ્રવીણકુમાર શુકલએ મોરબી મ્યુનિસિપલ કમિશ્નરને લેખીત રજુઆત કરી માંગ કરી છે
રજુઆતમાં જણાવ્યું હતું કે મોરબી શહેરના સૌંદર્યવર્ધન અને સુવિધાસભર...
મોરબી ખાતે દાદા ભગવાન ફાઉન્ડેશન દ્વારા પ.પૂ. દાદા ભગવાન ની ૧૧૮મી જન્મજયંતિ નિમિતે જોવા જેવી દુનિયા કાર્યક્રમ નું અલૌકીક આયોજન કરવામાં આવ્યુ છે. સમાજ ના ઉત્થાન તેમજ સુધારણા માટે આયોજીત આ કાર્યક્રમ માં મોરબી જલારામ ધામ ની ટીમ દ્વારા સેવા અર્પણ કરવામાં આવી હતી.
વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા...
મોરબી શહેરમાં રહેતી પરિણીતાનો દિકરો તેના પતિ સાથે રહેતો હોય અને પરણીતા પોતાના દિકરાને રમાડવા માટે માતા સાથે ગયેલ હોય ત્યારે પરણિતાને તેના સસરા તથા પતિએ ઝગડો કરી માર માર્યો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મૂળ મોરબીના અરણોદયનગરમા રહેતા અને હાલ રાજકોટ...