મોરબી માં ધીમે ધીમે ક્રાઇમ વધી રહ્યા છે. ધોળા દિવસે ફાયરિંગ, લૂંટ, મારામારી , ખૂબ , ચોરી, ઉદ્યોગકારો પર હુમલો જેવા કિસ્સાઓ ની મોરબી વાસીઓ ને હવે જાણે આદત પડી ગઈ છે. અવાર નવાર આવા કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે મોરબી તાલુકા ના ઊંચી માંડલ ગામ નજીક આવેલ મોબાઈલ ની શોપ માં લુટારુઓ એ ધોળા દિવસે ફાયરિંગ કરીને લૂંટ ચલાવી હતી.
મોરબી તાલુકા ના ઊંચી માંડલ ગામ નજીક આજ રોજ સાંજે સાડા ચાર વાગ્યાના અરસામાં મોબાઈલની શોપમાં લૂંટારુઓ દ્વારા બંધુક ના ભડાકા કરીને લૂંટ ચલાવવામાં આવી હતી. આશરે ૨૫ હજારની લૂંટ ચલાવી લુટારુઓ રફુચક્કર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસ એક્શન મોડ માં આવી છે.
ધોળા દિવસે થયેલ આ લૂંટ અંગેની જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના ઊંચી માંડલ નજીક તડાવિયા શનાળા જવાના રસ્તા પર એક મોબાઈલ ની શોપ માં આજ રોજ સાંજના સાડા ચારેક વાગ્યાના અરસામાં ૨ ઇસમો મોબાઈલમાં ગ્લાસ નખવવના બહાને શોપમાં ઘૂસી ગયા હતા ત્યારે દુકાનના માલિકે તેમને ગ્લાસ નાખી આપ્યો હતો બાદ પૈસા માગતા લૂંટારુએ દરવાજો બંધ કરી બંધુક બતાવી ” જીતના પૈસા હૈ નીકાલો” કહી ફાયરિંગ કરી ને રૂપિયા ૨૫ હાજર ની લૂંટ ચલાવી હતી. આ મામલે હાલ પોલીસ તપાસ કરી રહી છે.
આવી જ ઘટનાઓ દિનપ્રતિદિન મોરબીમાં વધી રહી છે. અવારનવાર આવી ઘટનાઓ બની રહી છે. ત્યારે થોડા સમય પહેલા મોરબીની મુલાકાતે અને કાયદા અને વ્યવસ્થાની સમીક્ષા કરવા આવેલ ગુજરાતના માનન્ય ગૃહમંત્રી “હર્ષ સંઘવી” સાહેબ એ કહ્યું હતું કે મોરબી જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં ક્રાઇમ રેટ ઘટયો છે.
શું સાચે ક્રાઇમ રેટ ઘટયો છે ?
શું સત્ય છે એ તો મોરબીની હોશિયાર જનતા સારી રીતે જાણે છે સાહેબ.
મોરબી: સરકારી આયુર્વેદિક હોસ્પિટલ મોરબી તથા યુવા શક્તિ ફાઉન્ડેશનના સહયોગથી આર્યુવેદ તથા હોમિયોપેથિક સર્વરોગ નિદાન કેમ્પનું આજ રોજ આયોજન કરવામાં આવ્યું હતું.
મોરબીના વાઘપરા ખાતે આવેલ સથવારા સમાજની વાડીમાં યોજાયેલ આ કેમ્પમાં ડો.અરૂણ નિમાવત, ડો.રાધિકા મહેતા, ડો.સુનિલ કાચરોલા તથા સ્ટાફે સેવા આપી હતી. આ કેમ્પમાં અતિથિ વિશેષ તરીકે મોરબી વૈર્ધ...
મોરબી મહાનગરપાલિકા વિસ્તાર હેઠળના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે આજે ૩૧ મેં શનિવાર ના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસ ૨૦૨૫ ની ઉજવણી કરવામા આવેલ.
જેમા આ વર્ષની થીમ “Unmasking the Appeal : Exposing Industry Tactics on Tobacco and Nicotine Products ” (અપીલનો પર્દાફાશ : તમાકુ અને...
મોરબી શહેરમાં વોર્ડ નં -૦૫ માં આવેલ નાની બજાર રોડ પરની વિશ્વકર્મા મંદીરવાળી શેરીમાં જોખમી જર્જરિત મકાન તોડી પાડવા વિશ્વકર્મા મંદીરવાળી શેરીના રહિશોએ મહાનગરપાલિકાના કમીશ્નરને લેખિત રજૂઆત કરી માંગ કરી છે.
રજુઆતમાં જણાવ્યું હતું કે સર્વે વોર્ડ નં- 5 માં આવેલ નાની બજાર રોડ પરની વિશ્વકર્મા મંદિર વાળી શેરીમાં ભૂકંપ...