હળવદના કેદારીયા ગામેથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ
હળવદ: હળવદ તાલુકાના કેદારીયા ગામે રામાપીરના મંદિર પાસેથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની હળવદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના જુના વેગડવાવ ગામે રહેતા મુનાભાઈ કરસનભાઈ ધામેચા (ઉ.વ.૩૬) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૨૧-૧૦-૨૦૨૩ ના રોજ રાતના આશરે સવા આઠેક વાગ્યાના સમય આસપાસ દરમ્યાન ફરીયાદીનુ હીરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નં.-GJ-૩૬-AA-૫૬૨૪ વાળુ બ્લેક કલરનુ વાદલી-ગુલાબી પટ્ટાવાળુ સને-૨૦૨૦ સાલમા ખરીદી કરેલ જેની કી. રૂ. ૧૫,૦૦૦/- ગણી શકાય તે મોટરસાયકલ કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઈ ગયો હોવાની ભોગ બનનાર મુનાભાઈએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૩૭૯ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.