મોરબી: ગુજરાત રાજ્યની એ ગ્રેડની મોરબી નગરપાલીકાના ચીફ ઓફીસરની તાજેતરમાં હળવદ ખાતે બદલી કરવામાં આવેલ છે. જેથી એ ગ્રેડની મોરબી નગરપાલીકા ચીફ ઓફીસર વિહોણી બની છે. મોરબી શહેરની વિવિધ સમસ્યાઓના નિરાકરણ માટે હાઈકેડરના ચીફ ઓફીસરની તાત્કાલીક ધોરણે નિમણુંક કરવા નિર્મિત કક્કડ દ્વારા માંગ કરવામાં આવી છે.
વર્ષ -૨૦૧૩ માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સરકાર દ્વારા મોરબીને જીલ્લો જાહેર કરવામાં આવેલ છે પરંતુ ૯-૯ વર્ષ વિતવા છતાં પણ આજ દીન સુધી મોરબી શહેરની પ્રજા પ્રાથમિક સુવિધાઓ માટે જંખી રહી છે. શહેરના વિવિધ પોશ તેમજ દુર્ગમ વિસ્તારો ઉબળ-ખાબળ રોડ રસ્તા, પીવાના પાણીની સમસ્યા, જાહેર શૌચાલયોની સમસ્યા, વરસાદી પાણીના નિકાલની સમસ્યા, સફાઈ તેમજ ગટર ઉભરાવવાની સમસ્યા, સ્ટ્રીટ લાઈટની સમસ્યા સહીતની વિવિધ સમસ્યાઓથી ઘેરાયેલ છે. મોરબી જીલ્લો બન્યા બાદ આજ દીન સુધી શહેરમાં એક પણ ફરવાલાયક સ્થળ પણ ઉપલબ્ધ નથી. જે ખરેખર સંવેદનશીલ સરકાર માટે કલંક સમાન ગણી શકાય. ગત નગરપાલીકાની ચુંટણીમાં મોરબીની પ્રજાએ મોરબી નગરપાલીકાનાં કુલ ૧૩ વોર્ડની તમામ ૫૨ બેઠકો ભાજપને અપાવી હતી પરંતુ પાલીકા તંત્ર પ્રજાના પ્રાણ પ્રશ્નો ઉકેલવામાં ઉણું ઉતર્યુ હોય તેવુ લાગી રહ્યુ છે, માત્ર એટલુ જ નહીં જીલ્લા ભાજપ કાર્યાલય પાસે પણ ગટર ઉભરાવવાના અહેવાલો વારંવાર મિડીયામાં પ્રસિધ્ધ થઈ રહ્યા છે. ત્યારે એક સમયે સૌરાષ્ટ્ર ના પેરિસ તરીકેની ઓળખ ધરાવતુ મોરબી શહેર આજે પ્રાથમિક સમસ્યાઓથી ઘેરાયેલ છે.
આ દરેક સમસ્યાઓના નિરાકરણ માટે નગરપાલીકામાં ઉચ્ચ લાયકાત તેમજ અનુભવ ધરાવતા ચીફ ઓફીસર હોવા આવશ્યક છે, માટે સમગ્ર વિશ્વમાં ઔદ્યોગિક ક્ષેત્રે ભારત દેશનો ડંકો વગાડનાર મોરબી શહેરની સમસ્યાઓના નિરાકરણ તેમજ પ્રજાની સુખાકારી માટે હાઈકેડરના ચીફ ઓફીસરની તાત્કાલીક નિમણુંક કરવા યોગ્ય આદેશ આપવા ૬૫ મોરબી માળિયા વિધાનસભાના મતદાર નિર્મિત કક્કડ દ્વારા સીએમને પત્ર લખી રજુઆત કરવામાં આવી છે.
ભારતીય સંસ્કૃતિ એ મહાન સંસ્કૃતિ છે, આ ભારત ભુમિ પર રામ અને કૃષ્ણ જેવા અવતારી પુરૂષોએ જન્મ ધારણ કર્યા છે, તેથી આ ભૂમિ પાવન બની છે, પવિત્ર બની છે, ભારતની આ પાવન ભૂમિ પર યુગોથી કથાઓ થતી આવી છે, કથામાં તત્વ અને અમૃત એવું રહેલું છે રોજ રોજ આ...
વાંકાનેર થયેલ છેતરપિંડીના ગુન્હાની તપાસ કરી છેતરપિંડીમા ગયેલ રકમ રીકવર કરી મોરબી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા મૂળ માલિકને પરત કરવામાં આવેલ છે.
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમા છેતરપિંડીનો ગુન્હો રજીસ્ટર થયેલ હતો. જે ગુન્હામાં ફરીયાદીની બોન્ઝા વિટ્રીફાઇડ કંપનીનુ બોગસ ઇમેઇલ આઇડી, મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને ભારત સરકારના આઇસગેટ પોર્ટલમાં આ ઇમેઇલ...
મોરબી: આયુષ હોસ્પિટલમાં સિઝેરિયન ડિલિવરી દ્વારા જન્મેલા નવજાત બાળકને જન્મ સમયે શ્વાસની ગંભીર તકલીફ હતી. તાત્કાલિક બાળકને વેન્ટિલેટર તથા ઇન્ક્યુબેટરમાં રાખી વિશેષ સારવાર આપવામાં આવી. તપાસ દરમિયાન એક્સ-રેમાં જન્મજાત ન્યુમોનિયા તથા લોહીના રિપોર્ટમાં ચેપ વધુ હોવાનું નિદાન થયું. બાળકને 12 દિવસ વેન્ટિલેટર પર અને બાદમાં 3–4 દિવસ ઓક્સિજન સપોર્ટ...