મોરબી અને માળિયામાં જુદી જુદી જગ્યાએથી છરી સાથે બે શખ્સોને પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડીવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના ગાંધીચોક પાસે સીવીલ હોસ્પિટલ નજીક આરોપી સિકંદરભાઈ અમરૂદીનભાઈ કટીયા (ઉ.વ.૩૦. રહે વીશીપરા કુલીનગર -૨)ની તાલાશી લેતા તેમની પાસેથી છરી મળી આવતા પોલીસે પકડી પાડયો હતો. જ્યારે અન્ય એક ઈસમને માળિયા પોલીસે માળિયા (મિ) ત્રણ રસ્તા પાસે આરોપી તાજમામદ રહેમાનભાઈ ભટ્ટી (ઉ.વ. ૪૫ રહે. માળીયા કોળીવાસ) ની પુછતાછ કરી તલાશી લેતાં તેમની પાસેથી છરી મળી આવતા માળિયા (મી) પોલીસે પકડી પાડયો હતો.
બંને આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ ધામ ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ ચલાવવામાં આવે છે ત્યારે મોરબીના સબરજીસ્ટ્રાર બીપીનભાઈ જોબનપુત્રા પરિવાર દ્વારા પૂ. જલારામ બાપાની મહાઆરતી તેમજ સદાવ્રત માં મહાપ્રસાદ યોજવામાં આવ્યો હતો.
આ તકે સબ રજીસ્ટ્રાર બીપીનભાઈ જોબનપુત્રા, નિવૃત...
હળવદ તાલુકાના રાયસંગપર ગામે રહેતા યુવકને પિતાએ કામ ધંધા બાબતે ઠપકો આપતાં મનમાં લાગી આવતા ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રાયસંગપર ગામે રહેતા અજયભાઈ માનસંગભાઈ સોઢા (ઉ.વ.૩૪) નામનો યુવક કોઈ કામ ધંધો કરતો ન હોય જેથી તેના પિતાએ તેને કામ ધંધો કરવાનું કહેલ...