હાલ ચાલી રહેલા ખેડૂત વિરોધી કાયદાને રદ કરવા દિલ્હી પર ખેડૂતોએ પોતાનું આંદોલન ચાલુ રાખ્યું છે. અને પોતાની વાત પાર અડગ રહ્યા છે. આ આંદોલનનો સમર્થન ઘણા લોકો કરી રહ્યા છે તેમજ ખેડૂતોના હિતમાં તેઓ પણ આંદોલનમાં જોડાયા હતા. આ મુદ્દો હવે રાજકોટ સુધી પહોંચી ગયો છે. વિપક્ષી નેતાઓ દ્વારા ખેડૂતોને સમર્થન આપાઈ રહ્યું છે. રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂત વિરોધી કાયદાના વિરોધ માં ધરણા પર બેસવાની જાહેરાત કરવામાં આવી હતી. આ અંગેની જાહેરાત કરવામાં આવતા જ પોલીસ દ્વારા ધરણા પર બેઠેલા કોંગ્રેસ કાર્યકરોની ધરપકડ કરવામાં આવી. આ ધરપકડ મા ઈન્દ્રનિલ રાજ્યગુરુ, વશરામભાઇ સાગઠીયા તેમજ બીજા કોંગ્રેસી કાર્યકરોની પણ અટકાયત કરવામાં આવી હતી.
જાણો શા માટે ઈન્દ્રનિલ રાજ્યગુરુ અને અન્ય કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરવામાં આવી ?



