મોરબી ખાતે મહાશિવરાત્રીના પવિત્ર પર્વ નિમિત્તે આજે વહેલી સવારથી જ શિવ મંદિરો હરહર મહાદેવનાં નાદ ગુંજી ઉઠ્યા હતા અને બહોળી સંખ્યામાં શિવભક્તો પુજન અર્ચન કરવા ઉમટી પડ્યા હતા સમગ્ર વાતાવરણ શિવમય બન્યું હતું વિશેષ પૂજા દુગ્ધાભિષેક મહા આરતી દીપમાળા રોશની અને વિશેષ શણગાર અને ચાર પ્રહારની પૂજા આરતી સાથે મહાશિવરાત્રી પર્વની ભક્તિ ભાવપૂર્વ ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીના સ્ટેશન રોડ ખાતે આવેલ પ્રાચીન શ્રી જડેશ્વર મહાદેવ મંદિર ખાતે ભવ્ય મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી.




