9 ફેબ્રુઆરીએ રાજ કપૂરના નાના પુત્ર રાજીવ કપૂરનું હાર્ટ એટેકથી નિધન થયું હતું. મંગળવારે સાંજે જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. મોટા ભાઈ રણધીર કપૂરે નાના ભાઈને અંતિમ સંસ્કાર કર્યા. 58 વર્ષની ઉંમરે રાજીવના મોતથી કપૂર પરિવારમાં દુઃખના વાદળો છવાયા હતા. બોલિવૂડની અનેક હસ્તીઓ પણ તેની વ્યથા વ્યક્ત કરવા માટે ચેમ્બુર સ્થિત રાજીવના નિવાસસ્થાને પહોંચી હતી. હવે નવી માહિતી બહાર આવી છે કે રાજીવ કપૂરનું ચોથું નહિ યોજાય. ભાભી નીતુ સિંહે આ માહિતી ઇન્સ્ટાગ્રામ દ્વારા શેર કરી છે. તેણે એક પોસ્ટ શેર કરી, જેમાં તેનું કારણ બહાર આવ્યું છે. તેમણે લખ્યું – હાલના કોરોના રોગચાળાને કારણે સુરક્ષાના કારણોને લીધે, સ્વર્ગસ્થ શ્રી રાજીવ કપૂરનું ચોથું નહિ યોજાય. સાથે જ લખ્યું હતું કે તેના આત્માને શાંતિ મળે. આખું રાજ કપૂર પરિવાર આ દુ: ખમાં સાથે છે. કપૂર પરિવાર માટે છેલ્લા કેટલાક વર્ષો મુશ્કેલ રહયા હતા. રાજ કપૂરની પત્ની કૃષ્ણા રાજ કપૂરનું 2018 માં અવસાન થયું હતું. 2020 માં પરિવારને ડબલ ફટકો પડ્યો. જાન્યુઆરીમાં રાજ કપૂરની મોટી પુત્રી રીતુ નંદાએ દુનિયા છોડી દીધી હતી. ત્યારબાદ એપ્રિલમાં રિશી કપૂરનું અવસાન થયું. એક વર્ષ પણ પસાર થયો નહીં કે રાજીવ કપૂરનું નિધન થયું. રણધીર કપૂર હવે કપૂર પરિવારમાં સૌથી મોટા સભ્ય રહયા છે. રાજીવના અંતિમ સંસ્કાર દરમિયાન રણધીર કપૂર ખુબ જ ઈમોશનલ દેખાયા હતા. રાજીવ કપૂરના અવસાન પછી બોલિવૂડના ઘણા લોકોએ સોશિયલ મીડિયા દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. તે જ સમયે, તેના અંતિમ વિદાય દરમિયાન પરિવારના તમામ સભ્યો સાથે રહ્યા હતા. ગર્ભાવસ્થા હોવા છતાં કરીના કપૂર ખાન તેના કાકાની છેલ્લી મુલાકાત પર પહોંચી હતી.
દિવંગત રાજીવ કપૂરનું ચોથું નહિ થાય, ભાભી નીતુ સિંહે આપ્યું આ કારણ.
વધુ જુઓ
સુશાંત સિંહ રાજપૂતે 2019માં અચાનક તમામ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી, જાણો તેની પાછળનું કારણ.
બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતને એક વર્ષ પૂર્ણ થવામાં માત્ર ૪ દિવસ બાકી છે અને આ કેસની તપાસ હજી ચાલુ છે. સુશાંતે ગયા વર્ષે 14 જૂન, 2020ના રોજ વિશ્વને વિદાય આપી હતી. આટલા સમય પછી પણ તેના ચાહકોને વિશ્વાસ કરવો ખૂબ મુશ્કેલ લાગી રહ્યો છે કે તે હવે...
કેટરીના કૈફ અને વિકી કૌશલ રિલેશનશિપમાં છે ? આ વાતની પુષ્ટિ આ અભિનેતાએ આપી.
બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફ અને વિકી કૌશલ વચ્ચે ચાલી રહેલ પ્રેમની ચર્ચાઓ છેલ્લા ઘણા મહિનાઓથી થઇ રહી છે, જોકે બંને વચ્ચેના સંબંધોની પુષ્ટિ થઈ નથી. કેટરિના કે વિકી કોઈ પણ તરફથી પણ આની હજુ કંઇ પણ પુષ્ટિ થઈ નથી. પરંતુ હવે એક ફિલ્મ અભિનેતાએ બંને વચ્ચેના સંબંધની પુષ્ટિ કરી...
Netflix પર ઓગસ્ટમાં ‘ધમાકા’ કરી શકે છે કાર્તિક આર્યન, જાણો સંપૂર્ણ વિગતો.
બોલિવૂડ અભિનેતા કાર્તિક આર્યન હાલ પોતાની ફિલ્મોને લઈને ચર્ચામાં જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં કાર્તિકના હાથમાંથી કેટલાક મોટા પ્રોજેક્ટ છૂટી ગયા છે પરંતુ તેના હાથમાં હજી પણ કેટલીક ફિલ્મો છે જેની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મોમાંથી એક ફિલ્મ છે રામ માધવાનીની 'ધમાકા'. 'ધમાકા' ઘણા...