મોરબી: લાયન્સ કલબ ઓફ મોરબી સીટીનો સેવા એજ પરમોધર્મ સૂત્રને સાર્થક કરતો એક સેવાકીય પ્રોજેકટ કરવામાં આવ્યો જેમાં ડાયભાઈ નામની વ્યક્તિને આ ટ્રાયસિકલ હસમુખભાઈ બી. પાડલીયા દાતા તથા લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના પ્રેસિડેન્ટ લા. કેશુભાઈ દેત્રોજા સેક્રેટરી લા. ટી. સી. ફુલતરિયા પાસ્ટ પ્રમુખ લા ભીખાભાઈ લોરિયા લા. મહાદેવભાઈ ચિખલિયા લા. પી. એ. કાલરીયા તેમજ સતેશ્વર મહાદેવ મંદિરના પૂજારીના હસ્તે ફૂલહાર પહેરાવીને અર્પણ કરવામાં આવી.
આ સેવાકીય પ્રવૃત્તિના પ્રેરક માર્ગદર્શક સૌરાષ્ટ્ર કચ્છના પ્રથમ વાઈસ ગવર્નર લા. રમેશભાઈ રૂપાલા હતા આવા અનેક સેવાકિય પ્રોજેક્ટમાં તેમનું માર્ગદર્શન સતત મળતું રહે છે દિવ્યાંગ ડાયાભાઈ આ સાયકલથી સમાજ સાથે હરીફરી શકે અને સમાજ સાથે રહી શકે તેવી ભાવના આ સાથે વ્યકત કરવામાં આવી તેમ સેક્રેટરી લા. ટી. સી. ફૂલતરિયાની યાદીમાં જણાવ્યું હતું.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...