વેપારીઓ તથા સામાજિક-રાજકીય આગેવાનો સાથે લોક દરબાર યોજી પ્રશ્નો સાંભળતા મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી.
વાંકાનેર શહેર ખાતે ગુરુવારે સાંજના સમયે મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ વડા દ્વારા વાંકાનેર વિસ્તારના વેપારીઓ તથા સામાજિક-રાજકીય આગેવાનો સાથે ચર્ચા કરી અને લોકોના પ્રશ્નો સાંભળી શક્ય તમામનું નિરાકરણ લાવવા ખાત્રી આપી હતી.
બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા ગઇકાલે સાંજે 4 વાગ્યે વેપારીઓ સાથે અને પાંચ વાગ્યે સામાજિક તથા રાજકીય આગેવાનો સાથે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ વડા દ્વારા તમામ લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા. આ લોક દરબારમાં મોટાભાગના લોકો દ્વારા વાંકાનેર શહેરની માથાના દુખાવા સમાન ટ્રાફિક સમસ્યા બાબતે જ રજુઆતો કરવામાં આવી હતી, આ સાથે અન્ય રજૂઆતો પણ સાંભળી અને શક્ય તમામના નિરાકરણની ખાત્રી જીલ્લા પોલીસ વડાએ આપી હતી.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના નવાપરામાં પંચાસર રોડ પર મીટ્ટીકુલ સામે રહેતા ધ્રુવ પ્રફુલ્લભાઈ કેરવાડીયા (ઉ.વ. ૨૦) નામના યુવાનના મિત્ર દિપક મનસુખભાઈ પરેચાને અન્ય શખ્સો સાથે માથાકુટ થઇ હોય, જેથી ધ્રુવ, દિપક પરેચા અને વિપુલ સાથલીયા ત્રણેય મિત્રો આરોપીઓ સાથે વાત કરવા નવાપરા વાસુકી દાદાના મંદિર સામે રોડ...
હળવદ શહેરમાં આવેલ આંબેડકર કોમ્પલેક્ષ સામે વાંસગી પાન પાસે યુવકના પરિવારને રાઠોડ પરિવાર સાથે જૂના ઝઘડાઓ થયેલ હોય જેનો ખાર રાખી યુવકને તથા સાથીને લોખંડના પાઇપ વડે મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ બસ સ્ટેન્ડ પાછળ રહેતા કલ્પેશભાઈ હસમુખભાઈ...