મોરબીની ભૂમિ એટલે દિલેર દતાઓની ભુમિ,મોરબીના લોકો દાન આપવામાં ક્યારેય પાછી પાની નથી કરતા.એમાંય શાળા માટે દાન આપવા માટે લોકો હંમેશા તત્પર હોય છે,બૂટાવાડીના ભુરજીભાઈ પરમાર દર વર્ષે શાળાના બાળકોને પ્રવેશોત્સવ નિમિત્તે પ્રવેશ પાત્ર બાળકોને પોતાના રળેલા રૂપિયામાંથી સ્કૂલબેગ અર્પણ કરતા હોય છે.
ત્યારે આ વર્ષે ભુરજીભાઈએવજેપરવાડી, માધાપરવાડી,બુટાવાડીબોરીયાપાટી,સભારાવાડી,તેજાણીવાડી વગેરે પ્રાથમિક શાળાના પ્રવેશપાત્ર 200 જેટલા બાળકોને સ્કૂલ બેગ અર્પણ કરીને બાલ દેવો ભવ:ની ઉક્તિને સાર્થક કરેલ છે.
ચાલુ વર્ષે બીપરજોય વાવાઝોડાના કારણે કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ મોકૂફ રહેતા શાળા કક્ષાએ પ્રવેશોત્સવની ઉજવણી કરી બાલવાટીકા અને પહેલા ધોરણમાં પ્રવેશ પામેલ બાળકોને સ્કૂલબેગ અર્પણ કરવામાં આવેલ અને બંને શાળાના આચાર્ય દિનેશભાઈ વડસોલા અને તુષારભાઈ બોપલીયા તેમજ એસ.એમ.સી.ના અધ્યક્ષ કાળુભાઈ વી.પરમારે દાતા ભુરજીભાઈ પરમારનું સાલ ઓઢાડી સન્માન કર્યું હતું.
જો બિલ પસાર થશે તો ઉગ્ર લડત કરવાની ચેતવણી
ગુજરાત્ત ઊર્જા સંયુક્ત સંકલન સમિતિ હેઠળના બંને પદાધિકારીએ અહેવાલ આપ્યો છે કે સમગ્ર ગુજરાત રાજ્યની સાતેય ઊર્જા કંપનીઓના જિલ્લા સ્તરે લાખો વીજ કર્મચારીઓએ આજે સૂત્રોચ્ચાર કરીને ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
તેઓ દ્વારા ચેતવણી આપી હતી કે જો સંસદના બજેટ સત્ર દરમિયાન...
મોરબીના ક્રિષ્ના મેળા કંડલા બાયપાસ નવલખી રોડ મોરબી પાસે થી મેળાના સંચાલક દ્વારા મોરબી મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સીને પાર્કિંગમાં રહેલ ગાડીમાં આગ લાગ્યા હોવાનો કોલ કરતાં ફાયર એન્ડ ઇમરજન્સી ટીમ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચીને ગાડીમાં લાગેલ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી બુઝાવીને આવ્યા અને અંતમાં મોકડ્રિલ જાહેર...
હાલ ગોંડલ પિતાને ઘેર રહેતા અને મોરબીમાં સાસરે પરિણીત મહિલાને સાસરીયા પક્ષ દ્વારા દુઃખ ત્રાસ આપી મેણા ટોણાં મારી શારીરિક અને માનસિક દુઃખ આપતા હોવાથી સાસરીયા પક્ષ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ હાલ રાજકોટ જિલ્લાના ગોંડલ માં પેલેસ રોડ રાધે કૃષ્ણ શેરી નંબર-૦૧મા રહેતા અભિલાષાબેન હર્ષદભાઈ કડીવાર (ઉ.વ.૩૮)...