માળિયાના નીરુબેનનગર ગામે રહેણાંક મકાનમાંથી દાગીના તથા રોકડ રકમની ચોરી કરનાર ઈસમ ઝડપાયો
માળિયા (મી): માળિયા (મી) તાલુકાના નીરુબેનનગર ગામે રહેણાંક મકાનમાંથી દાગીના તથા રોકડ રકમ મળી કુલ કિં રૂ.૯૭૦૦૦ ની ચોરી કરી જનાર ઈસમને માળિયા (મી) પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ માળીયા (મી) તાલુકાના નીરુબેનનગર ગામે રહેતા કિશોરભાઈ શીવાભાઈ ધામેચા (ઉ.વ.૪૨) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી કે ગત તા. ૨૨-૧૦-૨૦૨૩ ના રોજ રાત્રીના આઠેક વાગ્યાથી ૨૩-૧૦-૨૦૨૩ ના સવારના આઠેક વાગ્યા દરમ્યાન ફરીયાદીના રહેણાંક મકાને રાત્રીના સમયે કોઇ અજાણ્યો ચોર ઇસમ ફરીયાદીના ઘરની બારી તોડી ઘરમા પ્રવેશ કરી લોખંડના કબાટમા લોકરમા રાખેલ સોનાનો હાર આશરે બે તોલાનો જેની આશરે કિંમત રૂપીયા-૮૦,૦૦૦ તથા રોકડા રૂપીયા ૧૭,૦૦૦/- એમ કુલ રૂપીયા ૯૭૦૦૦/- ની ચોરી કરી લઇ ગયો હોવાની ભોગ બનનાર કિશોરભાઈએ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી ફરીયાદીના આધારે પોલીસે શોધખોળ હાથ ધરી આરોપી સીરાજભાઈ સીદીકભાઈ માણેક (ઉ.વ.૨૦) રહે. નીરુબેનનગર ગામ તા. માળિયા (મી)વાળાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૪૫૭,૩૮૦ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.