મોરબી: મોરબીમાં આડા સંબંધ રાખવાની ના પાડતા મહીલા ઉપર એક શખ્સે તલવાર અને પાઈપ વડે જીવલેણ હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી નવલખી રોડ લાયન્સનગર સતનામ તથા શીવ આરાધના એપાર્ટમેન્ટ તથા ડીલક્ષ પાન પાછળની છેલ્લી શેરી માં રહેતા ચેતનાબેન નેવીનભાઈ ગુજ્જરે (ઉ.વ.૩૦) આરોપી સાગર ઉર્ફે ચોટી નવઘણભાઈ મુંધવા રહે શક્ત શનાળા લાયન્સનગર પાસેના ગોકુળનગર વાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૩-૦૯-૨૦૨૨ ના રોજ કોઇપણ સમયે ફરીયાદીને તહોમતદાર સાથે આડા સબંધ હોય અને ફરીયાદીએ આ સબંધ નહી રાખવાનુ કહેતા આરોપીએ ફરીયાદી સાથે બોલાચાલી કરી તકરાર કરી ગાળો બોલી તલવાર તથા પાઇપ વડે માથામા તથા પગમા ઇજા કરી ડાબા પગમા નળાના ભાગે ફેકચર કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વિદ્યાર્થીઓમાં નૈતિકતા અને સંસ્કાર જેવા મૂલ્યોની ખીલવણી થાય એ માટે લખધીરગઢ પ્રાથમિક શાળાએ મોરબી શહેરમાં આયોજિત દાદા ભગવાનની ૧૧૮ મી જન્મજયંતી નિમિત્તે યોજાયેલા પ્રદર્શન "જોવા જેવી દુનિયા"પ્રદર્શનનો લાભ લઈ આજના વિદ્યાર્થી આવતીકાલના ઉત્તમ નાગરિક બને એ માટનો સરાહનીય પ્રયાસ કર્યો.
આ પ્રદર્શનનો હેતુ વિદ્યાર્થીઓ અને સમાજમાં નૈતિકતા, સંસ્કાર તથા માનવીય...
બાળકોનાં ઉજ્જવલ ભવિષ્યને ધ્યાનમાં લઈ નીલકંઠ કોમર્સ સ્કૂલ દ્વારા ધોરણ 11 અને 12 કોમર્સના વિધાર્થીઓ માટે “ધોરણ 12 પછી શું?” એ વિષય પર કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટના Dr ધવલ વ્યાસ સર મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા. જેમણે ધોરણ 12 પછીના વિવિધ કારકિર્દી વિકલ્પો અંગે...