મોરબી: મોરબીમાં બીમારી અને નબળા ધંધાથી કંટાળી મોરબી તાલુકાના જોધપર(નદી) ગામની સીમમા ફ્લોરા રીવર સાઇડ પાછળ આવેલ મંડળીના ટાંકાની બાજુમા મચ્છુ-૨ ડેમમા પાણીમાં ડૂબી જતાં આધેડનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં વિશ્વકર્મા મંદિર સામે, ભવાની ચોકમાં રહેતા જયેશભાઇ છગનભાઇ રાણપરા (ઉ.વ.૪૪)ને બી.પી.ની તકલીફ હોય તથા બન્ને પગના ગોળામા તકલીફ હોય તથા ધંધો નબળો હોય જેથી તેનાથી કંટાળી જઇ ગઇ કાલ તા. ૦૫/૦૯/૨૦૨૨ ના રોજ પોતાના ઘરેથી નીકળી જઇ પોતે પોતાની મેળે જોધપર(નદી) ગામની સીમમા ફ્લોરા રીવર સાઇડ પાછળ આવેલ મંડળીના ટાંકાની બાજુમા મચ્છુ-૨ ડેમમા પાણીમા ડુબી જતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
મોરબી સૌ ભણે,સૌ આગળ વધેના ધ્યેય સૂત્ર સાથે વર્ષ 2001/02 માં સમગ્ર શિક્ષા અભિયાનની શુભ શરૂઆત થયેલ હતી,એ સમયે પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકોને પ્રતિનિયુક્તિથી સીઆરસી બીઆરસી તરીકે નિમણુંક આપવાની એસએસએ દ્વારા શરૂઆત કરવામાં આવેલ.
આ ટીમે વર્ષ 2017 સુધી સમગ્ર શિક્ષા અભિયાનના અનેક કાર્યક્રમો જેવા કે વિસ દિવસીય શિક્ષક...
માળીયા મીંયાણામા રહેતા યુવકને એક શખ્સ સાથે આગલા દિવસે બોલાચાલી થયેલ હોય જેનો ખાર રાખી ચાર શખ્સો ક્રેટા કારમાં આવી યુવક સાથે બોલાચાલી ઝઘડો કરી યુવકને લોખંડના પાઇપ, લાકડાના ધોકા તથા ધરીયા વડે મારમાર્યો હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ માળીયા (મીં) શહેરમાં રેલ્વે સ્ટેશન પાસે રહેતા એજાજભાઈ હનીફભાઇ...
સૌરાષ્ટ્રમાં મોરબી અને કચ્છ જીલ્લાએ ઉદ્યોગ ક્ષેત્રે હરણફાળ ભરી છે તેમા પણ કચ્છ જિલ્લો પ્રવાસન ક્ષેત્ર હોવાથી પ્રવાસીઓ બહોળી સંખ્યામાં કચ્છની મુલાકાત લેતા હોય છે ત્યારે તેમની સુવિધા અને માંગને ધ્યાનમાં રાખી રાજકોટ ભુજ વચ્ચે માર્ચ-જુનમાં શરૂ કરેલી ખાસ ટ્રેન બંધ કરવામાં આવી હતી તેને ફરીથી સમય મર્યાદામાં અઠવાડીયામાં...