મોરબી: મોરબીમાં બીમારી અને નબળા ધંધાથી કંટાળી મોરબી તાલુકાના જોધપર(નદી) ગામની સીમમા ફ્લોરા રીવર સાઇડ પાછળ આવેલ મંડળીના ટાંકાની બાજુમા મચ્છુ-૨ ડેમમા પાણીમાં ડૂબી જતાં આધેડનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં વિશ્વકર્મા મંદિર સામે, ભવાની ચોકમાં રહેતા જયેશભાઇ છગનભાઇ રાણપરા (ઉ.વ.૪૪)ને બી.પી.ની તકલીફ હોય તથા બન્ને પગના ગોળામા તકલીફ હોય તથા ધંધો નબળો હોય જેથી તેનાથી કંટાળી જઇ ગઇ કાલ તા. ૦૫/૦૯/૨૦૨૨ ના રોજ પોતાના ઘરેથી નીકળી જઇ પોતે પોતાની મેળે જોધપર(નદી) ગામની સીમમા ફ્લોરા રીવર સાઇડ પાછળ આવેલ મંડળીના ટાંકાની બાજુમા મચ્છુ-૨ ડેમમા પાણીમા ડુબી જતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
મોરબીના મહેન્દ્રનગર ગામે ભૂગર્ભ ગટર નવી નાખવા તથા મહેન્દ્રનગરમા નવો રોડ બનાવતા વરસાદી પાણી સોસાયટીમાં ઘુસી જાય છે જેનો નિકાલ કરવા વગેરે જેવી સમસ્યાઓનુ નિવારણ લાવવા મોરબી જીલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ જાનકીબેન કૈલાએ મોરબી મ્યુનિસિપલ કમિશ્નરને લેખિત રજૂઆત કરી માંગ કરી છે.
મોરબી જીલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ જાનકીબેન કૈલાએ મોરબી...
મોરબીની ઈચ્છુક સરકારી તથા ખાનગી કોલેજીસ કે સંસ્થાઓએ ૩૦ મે સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬માં દરેક જિલ્લામાં ‘જિલ્લા કક્ષા સ્પોર્ટસ કોલેજ’ શરૂ કરવામાં આવનાર છે. જે અંતર્ગત પ્રથમ તબક્કમાં ૫ (ઝોનમાં ૫ ‘જિલ્લા કક્ષા સ્પોર્ટસ કોલેજ’ (DLSC) શરૂ કરવા માટે રસ ધરાવતી...