વર્ષ ૧૯૪૯ થી ICAI (Institute of chartered accountants of india) દ્વારા પ્રતિવર્ષ તા.૧ જુલાઈ ના રોજ નેશનલ સી.એ. ડે ઉજવવા મા આવે છે ત્યારે આજ રોજ મોરબી ની ઓસેમ સી.બી.એસ.ઈ. સ્કુલ ખાતે ધો-૧૧-૧૨ કોમર્સ ના સી.બી.એસ.ઈ. ના વિદ્યાર્થીઓ માટે એક સેમિનાર નુ અનેરૂ આયોજન કરવા મા આવ્યુ હતુ. જે અંતર્ગત મોરબી ના ખ્યાતનામ સી.એ. ટ્વિંકલ શાહ, સી.એ. જય સેજપાલ, સી.એ. હાર્દીક રાયચુરા દ્વારા વિદ્યાર્થીઓને સી.એ. ના અભ્યાસક્રમ વિશે તેમજ સી.એ. કઈ રીતે પાસ આઉટ કરવુ તેમજ સી.એ. કર્યા બાદ દેશ-વિદેશ મા કેટલી તકો ઉપલબ્ધ છે તેના વિશે તલસ્પર્શી માર્ગદર્શન આપવા મા આવ્યુ હતુ.
વિદ્યાર્થીઓ ના ઉજ્જવળ ભવિષ્ય માટે હરહંમેશ કટીબધ્ધ મોરબી ની નામાંકીત સંસ્થા OSEM C.B.S.E ના ધો-૧૧-૧૨ કોમર્સ ના વિદ્યાર્થીઓ માટે કરાયેલ સેમિનાર ના આયોજન બદલ સંસ્થા ના ટ્રસ્ટી શ્રી સુમંતભાઈ પટેલ, નારૂભા જેઠવા સાહેબ, ભવ્યદીપસિંહ જેઠવા સાહેબ, સિધ્ધાર્થભાઈ રોકડ, સુર્યરાજસિંહ જેઠવા સહીતનાઓએ સ્ટાફ મેમ્બર્સ તથા વિદ્યાર્થીઓને શુભકામનાઓ સહ અભિનંદન પાઠવ્યા હતા.
નેશનલ સી.એ. ડે સેમિનાર ને સફળ બનાવવા સંસ્થા ના પ્રિન્સિપાલ દીપાબેન શર્મા, કોમર્સ હેડ નિર્મિતભાઈ કક્કડ, દીપીકા મેડમ, અંકિતા મેડમ, સંતોષ સર સહીત ધો.૧૧-૧૨ ના વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી.
મોરબી : સરકારી આયુર્વેદિક હોસ્પિટલ મોરબી તથા યુવા શક્તિ ફાઉન્ડેશનના સહયોગથી દ્રિતીય હોમિયોપેથિક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમા મોરબીના વાઘપરા ખાતે આવેલ સથવારા સમાજની વાડીમાં યોજાયેલ આ કેમ્પમાં સરકારી આયુર્વેદ હોસ્પિટલ મોરબી ના હોમિયોપેથિક મેડિકલ ઓફિસર, ડૉ.રાધિકાબેન મહેતા તથા અન્ય સ્ટાફ કોમલબેન તથા પ્રદીપભાઈએ સેવા આપી હતી....
મોરબી જિલ્લામાં હોકીના જાદુગર એવા મેજર ધ્યાનચંદની જન્મ જયંતી નિમિત્તે નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી અંતર્ગત જિલ્લાની શાળાઓમાં તેમજ અન્ય સ્થળોએ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
દર વર્ષે ૨૯ ઓગસ્ટના રોજ દેશભરમાં હોકીના જાદુગર તરીકે ઓળખાતા મેજર ધ્યાનચંદની જન્મ જયંતી નિમિત્તે નેશનલ સ્પોર્ટ ડેની ઉજવણી કરવામાં આવે છે....
ભારતીય વાયુસેના દ્વારા તા.૨૭/ ૦૮/૨૦૨૫ થી વડોદરા દરજી પૂરા એરફોર્સ સ્ટેશન ખાતે ગુજરાતના યુવાનો માટે અગ્નિવીર વાયુની ઓપન ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભરતીમેળામાં ગુજરાતના પુરૂષ ઉમેદવારો માટે તા.૨૭ ઑગસ્ટ અને ૨૮ ઑગસ્ટ તેમજ સ્ત્રી ઉમેદવારો માટે તા.૩૦ ઑગસ્ટા અને ૩૧ ઑગસ્ટના રોજ ભરતી પ્રક્રિયા યોજાશે. આ ભરતી માટે...