પાટીદાર સમાજના વધુ બે ઘડિયા લગ્ન યોજાયા આજરોજ મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ મોરબી દ્વારા જુના દેવળીયા પટેલ સમાજ વાડી માં ઘડિયા લગ્ન યોજાય જેમાં રણજીતગઢ નિવાસી રમણિકભાઈ રવજીભાઈ ભોરણીયાની સુપુત્રી ચિ. બીનાબેનના શુભ લગ્ન સુરવદર નિવાસી પ્રવીણભાઈ સુંદરજીભાઈ આદ્રોજા ના સુપુત્ર ચિ. રિકીન કુમાર સાથે યોજાયા સાથે યોજાયા હતા
તો બીજા લગ્ન રમણિકભાઈ રવજીભાઈ ભોરણિયા ના સુપુત્ર ચિ. ડેનિસ કુમાર ના શુભ લગ્ન પ્રવીણભાઈ સુંદરજીભાઈ આદ્રોજા ની સુપુત્રી ચિ કોમલબેન સાથે યોજાયા હતા
આ ઘડિયા લગ્ન માં મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિના વિકાશભાઈ થાદોડા, બાબાલુભાઈ આઘારા, ભોરણીયા સાહેબ તથા પાટીદાર સમાજ ના આગેવાનોએ હાજર રહી પ્રભુતા માં પગલાં પાડનાર નવ દંપતિ ને આશીર્વાદ આપીયા હતા
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...