મોરબી: ગઈકાલે મોરબીના એલ.ઈ. કોલેજ રોડ પર આવેલા યોગેશ્વર મહાદેવ મંદિર ખાતે મોરબી પોસ્ટલ ડીસ્ટ્રિક પેન્શનર્સ એસોસિએશનનુ પાંચમુ સ્નેહમિલન યોજાયું હતું.
જેમાં લોકોને હાલના સમયમાં સાયબર ક્રાઇમ ફ્રોડ વધી રહી તેમા પણ ખાસ કરીને મોરબી જીલ્લો ઉદ્યોગ સાથે સંકળાયેલા હોવાથી અવારનવાર ફ્રોડના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે આ પાંચમા સ્નેહમિલન કાર્યક્રમમાં લોકોને હાલના સમયમાં વધતા સાયબર ક્રાઇમ ફ્રોડથી બચવા શું સાવચેતી રાખવી તેમજ કેવી રીતે સાયબર ક્રાઇમથી બચી શકાય તે બાબતે મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાય.પી. વ્યાસ, એ.એસ.આઇ. રજનીભાઇ કૈલા તથા પોલીસ કોન્સ્ટેબલ આકૃતિબેન પટેલ દ્વારા લોકોને સાયબર ક્રાઇમ વિશે સમજણ આપી જાગૃત કરવામાં આવ્યા હતા. તેમજ મોરબી પોસ્ટલ ડિસ્ટ્રીક્ટ પેન્શનર્સ એસોસિએશનના આ પાંચમાં સ્નેહમિલનમાં એસોસિએશનના સભ્યો સહ પરિવાર સાથે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
મોરબી - રાજપર રોડ પર આવેલ રામાપીરના મંદિર સામે વિઝન પ્લાસ્ટિક કારખાનામાં ચેન કપાનુ સ્ટ્રક્ચર તુટી જતા તેનો પાઈપ માથામાં લાગતા ગંભીર ઈજાઓ પહોંચતા યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ બિહારના વતની અને હાલ મોરબી રાજપર રોડ પર આવેલ રામાપીરના મંદિર સામે આવેલ વિઝન કારખાને રૂમમાં રહેતા અને...
મોરબીના શનાળા રોડ પર દરીયાલલ સ્કેવરમા બીજા માળે આવેલ વેલનેસ સ્પાના સંચાલક વિરુદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં સ્પામાં કામ કરતા વર્કરોના બાયોડેટાની નોંધણી વગર સ્પા ચલાવતા સ્પાના સંચાલક સંચાલકની અટકાયત કરી સીટી એ ડીવીઝન પોલીસે આરોપી વિરુદ્ધ જાહેરનામા ભંગ મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી...
મોરબીના ચરાડવા મહાકાળી આશ્રમ તથા સુરેંદ્રનગર જિલ્લાના ધાંગધ્રા તથા વસ્તડી મેલડી માતાજીના મંદીરમાં એમ ત્રણ મંદિર ચોરીઓનો ભેદ ઉકેલી ચાર આરોપીને રોકડા રૂપીયા, ચોરીમાં ગયેલ દાનપેટીની રકમ તથા સોના તેમજ ધાતુના દાગીના સહીત કુલ કિ.રૂ. ૨,૯૧,૦૦૫/- ના મુદામાલ સાથે ચાર ઈસમોને મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયા છે.
મોરબી એલસીબી પોલીસને...