મોરબી: ગઈકાલે મોરબીના એલ.ઈ. કોલેજ રોડ પર આવેલા યોગેશ્વર મહાદેવ મંદિર ખાતે મોરબી પોસ્ટલ ડીસ્ટ્રિક પેન્શનર્સ એસોસિએશનનુ પાંચમુ સ્નેહમિલન યોજાયું હતું.
જેમાં લોકોને હાલના સમયમાં સાયબર ક્રાઇમ ફ્રોડ વધી રહી તેમા પણ ખાસ કરીને મોરબી જીલ્લો ઉદ્યોગ સાથે સંકળાયેલા હોવાથી અવારનવાર ફ્રોડના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે આ પાંચમા સ્નેહમિલન કાર્યક્રમમાં લોકોને હાલના સમયમાં વધતા સાયબર ક્રાઇમ ફ્રોડથી બચવા શું સાવચેતી રાખવી તેમજ કેવી રીતે સાયબર ક્રાઇમથી બચી શકાય તે બાબતે મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાય.પી. વ્યાસ, એ.એસ.આઇ. રજનીભાઇ કૈલા તથા પોલીસ કોન્સ્ટેબલ આકૃતિબેન પટેલ દ્વારા લોકોને સાયબર ક્રાઇમ વિશે સમજણ આપી જાગૃત કરવામાં આવ્યા હતા. તેમજ મોરબી પોસ્ટલ ડિસ્ટ્રીક્ટ પેન્શનર્સ એસોસિએશનના આ પાંચમાં સ્નેહમિલનમાં એસોસિએશનના સભ્યો સહ પરિવાર સાથે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
મોરબી DDO જે.એસ. પ્રજાપતિ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શ્રીવાસ્તવનાં સીધા માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ કચેરી હળવદ, GMERS મેડીકલ કોલેજ મોરબી તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટીકરના સહયોગ થી આરોગ્ય વિભાગ દ્વારા નવા ટીકર ગામે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ.
આ બ્લડ ડોનેશન કેમ્પને જીલ્લા પંચાયત સદસ્ય ધર્મેન્દ્રભાઈ એરવાડિયા,...
મોરબી મહાનગરપાલિકા દ્વારા હાલ મરબી શહેરમાં ગંદકી ફેલાવતા આસામીઓ અને પ્રતિબંધીત પ્લાસ્ટિકના વપરાશકર્તા સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે જે અનુસંધાને મોરબી મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાએ શહેરમાં તા. ૧૮ માર્ચથી થી ૨૪ માર્ચ દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિક વપરાશકર્તા તથા ગંદકી કરતાં આસામી સામે દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.
જેમાં પ્રતિબંધિત...
મોરબી શહેરમાં પશુઓની રંજાડ રહેતા અનેક વખત લોકોએ મહાનગરપાલિકા ને રજુઆત કરી હતી ત્યારે મોરબી મહાનગરપાલિકાની પ્રાણી રંજાડ અંકુશ શાખાએ શહેરમાંથી 19 દિવસમાં ૨૫૪ પશુઓ પકડી આસપાસની ગૌશાળામાં મુકવામાં આવેલ છે.
મોરબી મહાનગરપાલિકાની પ્રાણી રંજાડ અંકુશ શાખાએ શહેરમાં તા. ૦૩ માર્ચ થી ૨૨ માર્ચ દરમિયાન શહેરી વિસ્તારમાંથી રખડતા ઢોર પકડવાની...