મોરબી: મોરબી સબ જેલ ખાતે જેલના બંદિવાનો દ્વારા ભારતીય બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી.
આજ તા.૧૪/૦૪/૨૦૨૪ને રવિવાર ના રોજ મોરબી સબ જેલ ખાતે મહામાનવ, વિશ્વરત્ન, પ્રથમ કાયદામંત્રી, ભારતીય બંધારણના ધડવૈયા, ભારત રત્ન, બોધિસત્વ ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૩૩મી જન્મ જયંતી નિમિત્તે મોરબી સબ જેલના ઇન્ચાર્જ અધિક્ષક પી.એમ.ચાવડાનાઓ સાથે જેલના કર્મચારીઓ અને જેલના બંદિવાનો દ્રારા બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવેલ છે.
મોરબી શહેરમાં રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં છે ત્યારે મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત શહેરમાં સી.સી. રોડ માટે સરકારમાંથી ૩૦.૭૫ કરોડની સૈધ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે.
મોરબી મહાનગરપાલિકાના સીવીલ અને સીટી બ્યુટીફીકેશન શાખા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત...
માળીયા મીયાણા તાલુકાના ચાંચાવદરડા ગામે ખ્રીશા પોલીમર્સ કારખાનાની ઓરડીમાં રહેતી સગીરાએ માતા પિતા સાથે ફોનમા વાત કરી પોતાના કામ પરથી ઘેર પાછુ આવવાની વાત કરતા તેના માતા-પિતાએ કામ પરથી ઘરે આવવાની ના પાડતા ઝેરી દવા પી લેતા સગીરાનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ માળીયા...
મોરબી શહેરના સામાકાંઠે આવેલ લાભનગર કાલેન્દ્રી નદીના કોઝવેની બાજુમાં બાવળની કાંટમાથી વિદેશી દારૂની ૮૭ બોટલ કિં રૂ. ૪૩૫૦૦ નો મુદ્દામાલ સિટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા ફરાર દર્શાવી તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી...