મોરબી : આજે મોરબી સબ જેલ ખાતે તા.૦૬-૧૨- ૨૦૨૩ ને બુધવાર ના રોજ ડો. બાબા સાહેબ આબેડકરના મહા પરીનિર્વાણ દિન નિમિત્તે શ્રદ્ધા સુમન અર્પણ કરાયા “We are indians firstly & lastly” આ મહાન શબ્દો છે. ડો. બાબા સાહેબ આંબેડકર કોઈ પણ સમાજ અને ધર્મ પહેલા દેશને અગ્રીમતા આપતા હતા, તેઓએ દેશના બધાજ નાગરિકોને સમાન હક મળે તે માટેના જ પ્રયત્નો કર્યા છે દેશને વિશ્વનું સૌથી મોટું બંધારણ આપ્યું હોય, આ દેશને સમાનતા, સ્વતંત્રતા અને બંધુતાના હક્કો આપ્યા હોય, સમગ્ર વિશ્વમાં જે વ્યક્તિત્વના પાઠ આજે ભણાવવામાં આવતા હોય, જેની મહાનતા અને નોલેજનો ડંકો વિશ્વના તમામ દેશોમાં વાગે છે.
આજે આ મહાન વ્યક્તિત્વ, ભારતરત્ન, વિશ્વ વિભૂતિ ડો. બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિનનિમિત્તે અત્રેની જેલના ઇ.ચા.અધિક્ષક પી.એમ. ચાવડાનાઓ તથા જેલના કર્મચારીઓ સાથે જેલના બંદિવાનો હાજર રહેલા હતા.અને ડો.બાબા સાહેબ આબેડકરને શ્રદ્ધા સુમન અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.
મધુપુર કરણીસેના મોરબી જિલ્લા પ્રમુખના જયદેવસિંહ ઘનશ્યામસીંહ જાડેજાએ રાજીનામું આપતા જણાવ્યું હતું કે મારાં ધંધા ના કામકાજ ના કામોના કારણે તેમજ મધુપુર મેલડીધામ ટ્રસ્ટ ના કામકાજો ના લીધે મને અત્યારે પૂરતો સમય નથી મળતો જે માટે હું કરણીસેના ના જિલ્લા પ્રમુખ ના હોદા ઉપર બેસીને પણ સમાજ કાર્યોમાટે સમય...
હળવદ પોલીસ સ્ટેશનના ઈંગ્લીશ દારૂ વેચાણના ગુનામાં સંડોવાયેલ ઈસમને પાસા હેઠળ ડિટેઇન કરી આરોપીને હળવદ પોલીસ દ્વારા સુરત જેલ હવાલે કરવામાં આવેલ છે.
હળવદ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઈસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલતા જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીનાઓ તરફથી પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ આરોપીનુ પાસા વોરંટ ઇસ્યુ કરેલ હોય જે ઇસમને...