મોરબી : આજે મોરબી સબ જેલ ખાતે તા.૦૬-૧૨- ૨૦૨૩ ને બુધવાર ના રોજ ડો. બાબા સાહેબ આબેડકરના મહા પરીનિર્વાણ દિન નિમિત્તે શ્રદ્ધા સુમન અર્પણ કરાયા “We are indians firstly & lastly” આ મહાન શબ્દો છે. ડો. બાબા સાહેબ આંબેડકર કોઈ પણ સમાજ અને ધર્મ પહેલા દેશને અગ્રીમતા આપતા હતા, તેઓએ દેશના બધાજ નાગરિકોને સમાન હક મળે તે માટેના જ પ્રયત્નો કર્યા છે દેશને વિશ્વનું સૌથી મોટું બંધારણ આપ્યું હોય, આ દેશને સમાનતા, સ્વતંત્રતા અને બંધુતાના હક્કો આપ્યા હોય, સમગ્ર વિશ્વમાં જે વ્યક્તિત્વના પાઠ આજે ભણાવવામાં આવતા હોય, જેની મહાનતા અને નોલેજનો ડંકો વિશ્વના તમામ દેશોમાં વાગે છે.
આજે આ મહાન વ્યક્તિત્વ, ભારતરત્ન, વિશ્વ વિભૂતિ ડો. બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિનનિમિત્તે અત્રેની જેલના ઇ.ચા.અધિક્ષક પી.એમ. ચાવડાનાઓ તથા જેલના કર્મચારીઓ સાથે જેલના બંદિવાનો હાજર રહેલા હતા.અને ડો.બાબા સાહેબ આબેડકરને શ્રદ્ધા સુમન અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.
વાંકાનેર તાલુકાના સતાપર ગામની આજુબાજુના વિડી વિસ્તારમાંથી અવારનવાર દીપડાઓ ચડી આવતા હોય, જેના કારણે આ વિસ્તારના ખેડૂતોમાં સતત ભયનો માહોલ જોવા મળતો હોય, ત્યારે ગતરાત્રિના ગામની સીમમાં આવેલ એક ખેડૂતની વાડીએ ચડી આવેલ દીપડો ટ્રાન્સફોર્મર (ટીસી)માં ચડી જતા ઇલેક્ટ્રીક શોક લાગવાથી દિપડાનું મોત થયાનો બનાવ સામે આવ્યો છે.
બનાવની પ્રાપ્ત...
મહિલા કલ્યાણ દિવસ અન્વયે ટંકારા તાલુકાના નેકનામ ગામ ખાતે મહિલાલક્ષી જાગૃતિ શિબિર યોજાઈ હતી. આ શિબિરમાં ઉપસ્થિત મહિલાઓને સરકારશ્રીના વિવિધ વિભાગોના અધિકારી અને કર્મચારીઓ દ્વારા જુદી જુદી યોજનાની અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તથા આ યોજનાઓ હેઠળ આપવામાં આવતા લાભો મેળવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં યોજનાકીય...