આરોગ્ય કર્મચારીઓ હડતાલનું શસ્ત્ર ઉગામી ત્રણ પડતર પ્રશ્નોના ઉકેલની માંગ સાથે આજથી અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી ગયા છે.250 જેટલા આરોગ્ય કર્મચારીઓએ હડતાલ ઉપર ઉતરી સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
એક તરફ તલાટીઓ દ્વારા હડતાળ શરૂ કરી દેવામાં આવી છે. તો બીજી તરફ મોરબીમાં જ્યારે કોરોના ના કેસ વધી રહ્યા છે ,વરસાદની ઋતુમાં રોગચાળો ફેલાય રહ્યો છે એવા સમયે આરોગ્ય વિભાગ દ્વારા પણ અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરી દીધી છે.
મોરબી જિલ્લાના આરોગ્ય કર્મચારીઓએ આજથી અચોક્કસ મુદતની હડતાલ શરૂ કરી છે અને જિલ્લા પંચાયત કચેરી ખાતે આરોગ્ય કર્મીઓએ સરકાર વિરુદ્ધ નારેબાજી લગાવી હતી અને પોતાની માંગ ન સંતોષાઈ ત્યાં સુધી લડત ચાલુ રાખવાની માંગ કરી છે. જેમાં આરોગ્ય કર્મીઓ પોતાની માંગમાં મોરબી જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, તાલુકા આરોગ્ય કચેરી તથા જિલ્લા કક્ષાએ ફરજ બજાવતા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઈઝર, ફિમેલ હેલ્થ સુપરવાઈઝર, ટી.એચ.એસ., ટી.એચ.વી. સહિતના આરોગ્ય કર્મચારીઓ પર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઈઝર તથા ફિમેલ હેલ્થ સુપરવાઈઝરને પ્રથમ તબક્કે રૂ. 4200 ગ્રેડ પે તથા ઉચ્ચતર પગાર ધોરણ આપવા સહિતના મુદ્દે નિરાકરણ લાવવાની માંગ કરી હતી.
આજરોજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.કે. શ્રીવાસ્તવ સાહેબના સૂચના તેમજ પ્રા.આ.કે. લાલપર ના મેડિકલ ઓફિસર ડો. રાધિકાબેન વડાવિયા, સુપરવાઈઝર દીપકભાઈ વ્યાસના ખાસ માર્ગદર્શન હેઠળ આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ના કર્મચારી દિલીપ દલસાણીયા, ખુશ્બુબેન પટેલ, ભાવનાબેન ચાવડા તેમજ આશા વર્કર બહેનો દ્વારા ગામમાં રાષ્ટ્રીય રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવા...
મોરબીમાંથી શરૂ થયેલી ઉમા આદર્શ લગ્ન યોજના આજે પાટીદાર સમાજ માટે ગૌરવનું પ્રતીક બની રહી છે. *માત્ર 13 માસના ટૂંકા સમયમાં આ યોજનામાં કુલ 530 લગ્નોનું બુકિંગ થયું છે અને તેમાંમાંથી 366 લગ્નો સફળતાપૂર્વક પૂર્ણ થવું એ તેની વિશ્વસનીયતા અને સ્વીકાર્યતાનું જીવંત પ્રમાણ છે. આ આંકડા માત્ર સંખ્યાઓ નથી,...
મોરબી તાલુકાના જોધપર નદી ગામે પોતાના રહેણાંક મકાને બીમારીથી કંટાળી આધેડ એસિડ પિ લેતા આધેડનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જોધપર નદી ગામે રહેતા સંજયભાઈ માધવદાસ દેવમુરારી (ઉ.વ.૫૧) ને પગના તળિયાની બીમારી હોય જેથી કંટાળી પોતાના ઘરે કોઈ પણ વખતે એસિડ પી જતા સારવાર અર્થે રાજકોટ સિવિલ...