આરોગ્ય કર્મચારીઓ હડતાલનું શસ્ત્ર ઉગામી ત્રણ પડતર પ્રશ્નોના ઉકેલની માંગ સાથે આજથી અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી ગયા છે.250 જેટલા આરોગ્ય કર્મચારીઓએ હડતાલ ઉપર ઉતરી સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
એક તરફ તલાટીઓ દ્વારા હડતાળ શરૂ કરી દેવામાં આવી છે. તો બીજી તરફ મોરબીમાં જ્યારે કોરોના ના કેસ વધી રહ્યા છે ,વરસાદની ઋતુમાં રોગચાળો ફેલાય રહ્યો છે એવા સમયે આરોગ્ય વિભાગ દ્વારા પણ અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરી દીધી છે.
મોરબી જિલ્લાના આરોગ્ય કર્મચારીઓએ આજથી અચોક્કસ મુદતની હડતાલ શરૂ કરી છે અને જિલ્લા પંચાયત કચેરી ખાતે આરોગ્ય કર્મીઓએ સરકાર વિરુદ્ધ નારેબાજી લગાવી હતી અને પોતાની માંગ ન સંતોષાઈ ત્યાં સુધી લડત ચાલુ રાખવાની માંગ કરી છે. જેમાં આરોગ્ય કર્મીઓ પોતાની માંગમાં મોરબી જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, તાલુકા આરોગ્ય કચેરી તથા જિલ્લા કક્ષાએ ફરજ બજાવતા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઈઝર, ફિમેલ હેલ્થ સુપરવાઈઝર, ટી.એચ.એસ., ટી.એચ.વી. સહિતના આરોગ્ય કર્મચારીઓ પર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઈઝર તથા ફિમેલ હેલ્થ સુપરવાઈઝરને પ્રથમ તબક્કે રૂ. 4200 ગ્રેડ પે તથા ઉચ્ચતર પગાર ધોરણ આપવા સહિતના મુદ્દે નિરાકરણ લાવવાની માંગ કરી હતી.
વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ ધામ ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ ચલાવવામાં આવે છે ત્યારે મોરબીના સબરજીસ્ટ્રાર બીપીનભાઈ જોબનપુત્રા પરિવાર દ્વારા પૂ. જલારામ બાપાની મહાઆરતી તેમજ સદાવ્રત માં મહાપ્રસાદ યોજવામાં આવ્યો હતો.
આ તકે સબ રજીસ્ટ્રાર બીપીનભાઈ જોબનપુત્રા, નિવૃત...
હળવદ તાલુકાના રાયસંગપર ગામે રહેતા યુવકને પિતાએ કામ ધંધા બાબતે ઠપકો આપતાં મનમાં લાગી આવતા ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રાયસંગપર ગામે રહેતા અજયભાઈ માનસંગભાઈ સોઢા (ઉ.વ.૩૪) નામનો યુવક કોઈ કામ ધંધો કરતો ન હોય જેથી તેના પિતાએ તેને કામ ધંધો કરવાનું કહેલ...