ગુજરાત પ્રદેશ ભાજપની સુચના અનુસાર સમગ્ર ગુજરાતમા શકિત કેન્દ્ર દીઠ મોદી પરીવાર સભાનુ આયોજન કરવામા આવેલ છે.
મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે જાંબુડીયા અને પાનેલી શકિતકેન્દ્રની મોદી પરીવાર સભામા 7 ગામના આગેવાનો તથા કાર્યકર્તા ભાઇઓ- બહેનોએ ભાગ લીધો હતો.
મોદી પરીવાર સભામા મોરબી જીલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી, ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયા તથા મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદ ભાઇ વાસદડીયાએ જણાવ્યુ હતુ કે ભારતના વડાપ્રધાન જ્યારે બધા ભારત વાસીઓને એક પરીવારજન ગણતા હોય તેમજ પરીવારના મોભી બની યુવા, ગરીબ, મહિલા, ખેડુતોના ઉત્થાન માટે સતત 16 કલાક મહેનત કરતા હોય એવા પ્રધાનમંત્રીને ત્રીજીવાર વડાપ્રધાન બનાવવા હાકલ કરી હતી.
તેમજ આગામી ચુટણીમા સૌનો સાથ સૌનો વિકાસ સૌનો પ્રયાસ સૌનો વિશ્વાસના સુત્રને સાર્થક કરી આગામી 2047 સુધીમાં ભારત દેશને વિકસિત ભારત બનાવવાના મોદીના સંકલ્પને પરિપૂર્ણ કરવા રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોતમ ભાઇ રુપાલાજીને વિજયી બનાવવા અપીલ કરી હતી.
આ કાર્યક્રમમા મોરબી જીલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી, ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયા, મોરબી જીલ્લા પંચાયત પુર્વ ચેરમેન જયંતિભાઇ પડશુંબીયા, મોરબી તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઇ દેસાઇ, ઉપપ્રમુખ બચુભાઇ અમૃતિયા, ચેરમેન રાજુભાઇ પરમાર, પુર્વ ચેરમેન હંસાબેન સોલંકી, તાલુકા પંચાયત પુર્વ પ્રમુખ કાનજીભાઇ ચાવડા, લાલજી ભાઇ સોલંકી, કવીન શાહ,રમેશભાઇ કણસાગરા, ગોતમભાઇ હડીયલ, કાનાભાઇ પરમાર, છનાભાઇ રબારી , નૌતમભાઇ ચાવડા, વિનુભાઇ અજાણા સહિતના સરપંચઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મહાનુભાવોના હસ્તે ભારતીય જનતા પાર્ટીને મજબુત કરવા ધણા વર્ષો હથી પાર્ટીનુ કામ કરતા વરિષ્ઠ કાર્યકર્તાઓનુ સન્માન કરવામાં આવ્યુ હતુ.
માં આધશક્તિની આરાધનાના મહાપર્વ સમાન નવરાત્રી નજીક આવતા નવરાત્રી નિમિત્તે કચ્છમાં બિરાજમાન આશાપુરા માતાજી ના દર્શન કરવાનું અનેરું મહત્વ હોય જેથી લોકો દુર દુરથી સેંકડો લોકો પગપાળા ચાલીને માતાજીના દરબારમાં શીશ ઝુકાવા જાય છે ત્યારે પદયાત્રી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પ 12/09/2025 થી ઉમા રિસોર્ટ ની બાજુમાં,જુના...
મોરબીમાં મહેન્દ્રપરા થી પંચાસર રોડનો વિકાસ ડબલ પટ્ટીમાં પુર્ણ કરેલ છે જે સારી વાત છે. આ રોડ ઉપર અનેક સોસાયટીઓ આવેલ છે. પરંતુ આ રોડ ત્યાં વચ્ચે લાઇટો નથી તેથી અંધાર પટ છે અને સી.સી.ટી.વી. કેમેરા નથી જેથી સલામતી સુવિધાઓ માટે રોડ પર સી.સી.ટી.વી. કેમેરા અને લાઈટો નાખવા સામાજિક...
મોરબી તાલુકાના માનસર ગામે આવેલ શ્રી માનસર પ્રાથમિક શાળામાં જ્ઞાન સહાયક શિક્ષકની ખાલી જગ્યા ભરવા મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને લેખીત રજુઆત કરી માનસર ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા માંગ કરવામાં આવી છે.
રજુઆતમાં જણાવ્યું હતું કે મોરબી તાલુકાના માનસર ગામે આવેલ શ્રી માનસર પ્રાથમિક શાળામાં તારીખ- ૦૧/૦૩/ ૨૦૨૫ થી ધોરણ ૧...