મોરબી: મોરબીના વીસીપરમા આવેલ આંબેડકર કોલોની શેરી નં -૨ માં દિકરી તેના પતીથી જુદી તેની માતાના ઘરે રેહવા જતી રહી હોય. ત્યારે સાસરીયા પક્ષ દ્રારા દીકરીની માતાને ઘર જઈ તેને કહેલું કે તમારી દિકરીને ક્યારે મોકલવાની છે તેમ કહેલ ત્યારે દીકરીની માતાએ કહેલ કે બે વડીલો લાવો વાતચિત કરી મોકલી દઈશુ તેમ કહેતા ઉશ્કેરાયેલા શખ્સે દીકરીની માતાને ગાળો આપી લાકડી વડે માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મુળ છતરના રહેવાસી અને હાલ મોરબીના વીસીપરમા આવેલ આંબેડકર કોલોની શેરી નં -૧૨ માં રહેતા પ્રભાબેન રમેશભાઈ સારેસા (ઉ.વ.૪૫) એ આરોપી વસંતભાઇ દાનાભાઈ રાઠોડ (મુળ રહે. મોટા દહીસરા તા. માળીયા) હાલ રહે વીસીપરા ગુજરાત સોસાયટીમાં મોરબી વાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૦૫-૧૦-૨૦૨૨ ના રોજ કોઇપણ સમયે ફરીયાદીની દીકરી છેલ્લા ત્રણેક માસથી તેના પતિથી જુદી રહેવા જતી રહેલ અને એકાદ માસથી ફરીયાદી સાથે રહેવા આવેલ હોય જેથી આરોપી ફરીયાદના ઘેર જઇને કહેલ કે તમારે તમારી દિકરીને ક્યારે મોકલવાની છે આમ કહેતા ફરીયાદીએ કહેલ કે તમારા ઘરના બે વડીલોને લાવો અમે વાત ચીત કરી મોકલી દઇશુ આમ વાત કરતા આરોપીએ ફરીયાદીને ગાળો બોલી પોતાની પાસે રહેલ લાકડી વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ભોગ બનનાર મહિલાએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુન્હો આઇ.પી.સી. કલમ ૩૨૩, ૫૦૪,૫૦૬(૨)તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી મહાનગરપાલિકાના સીવીલ અને સીટી બ્યુટીફીકેશન શાખા જણાવે છે કે, મોરબી શહેરના મધ્યમાંથી મચ્છુ નદી પસાર થાય છે જેમાં હાલ એક બ્રીજ આવન અને એક બ્રીજ જાવન માટે આવેલ છે જેથી સંપૂર્ણ મોરબીનો ટ્રાફીક આ બ્રીજ ઉપર થી જ પસાર થાય છે જેના કારણે ટ્રાફિકની ખુબજ સમસ્યા સર્જાય છે.
મોરબી...
મોરબી જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હસ્તકના હરીપર કોયબા રોડ પર આવેલા માઇનર બ્રીજના ગાળા ગત ચોમાસામાં ભારે વરસાદના કારણે નુકસાનગ્રસ્ત થયા છે. જેથી કોયબાથી નવા કોયબા રોડ પર ભારે વાહનોને પસાર થવા પર જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરીએથી...
મોરબી મોરબી જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હસ્તકના નેશનલ હાઇવે થી લખધીરપુર-કાલિકાનગર-નીચી માંડલ રસ્તાનું કામ હાલ પ્રગતિ હેઠળ છે. રસ્તાનો સિમેન્ટ કોંક્રેટનો ક્યોરીંગ પિરિયડ પૂરો ન થાય ત્યાં સુધી વાહન ચલાવી શકાય તેમ ન હોવાથી આ રસ્તો વન વે કરવો જરૂરી છે. જેથી જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા...