Monday, June 2, 2025

મોરબીમાં આર્યુવેદ તથા હોમિયોપેથિક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: સરકારી આયુર્વેદિક હોસ્પિટલ મોરબી તથા યુવા શક્તિ ફાઉન્ડેશનના સહયોગથી આર્યુવેદ તથા હોમિયોપેથિક સર્વરોગ નિદાન કેમ્પનું આજ રોજ આયોજન કરવામાં આવ્યું હતું.

મોરબીના વાઘપરા ખાતે આવેલ સથવારા સમાજની વાડીમાં યોજાયેલ આ કેમ્પમાં ડો.અરૂણ નિમાવત, ડો.રાધિકા મહેતા, ડો.સુનિલ કાચરોલા તથા સ્ટાફે સેવા આપી હતી. આ કેમ્પમાં અતિથિ વિશેષ તરીકે મોરબી વૈર્ધ સભા પ્રમુખ ડો.બી.કે.લહેરૂ ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પમાં અંદાજિત 150થી વધુ લોકોએ લાભ લીધો હતો.

સાથે યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા નિ:શુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જે સથવારા સમાજની વાડી તથા કુબેરનાથ મંદિર, અને પંચમુખી હનુમાન મંદિર ખાતે યોજાયેલ સુવર્ણપ્રાશન કેમ્પમાં 500થી વધુ બાળકોને સુવર્ણપ્રાશનના ટીપા પીવડાવવામાં આવ્યા હતા. આ કેમ્પને સફળ બનાવવા સરકારી આર્યુવેદિક હોસ્પિટલ મોરબી તથા યુવા શક્તિ ફાઉન્ડેશનના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર