મોરબી : મોરબીમાં પ્રથમ વખત રામજીભાઈ મોયડા પરિવારના આંગણે પ.પુ. સંત શ્રી જયરામ ગીરી બાપુ વાળીનાથ (તરભ) ની પધરામણી તા. ૧૯-૦૪-૨૦૨૪ ને શુક્રવાર સવારે ૯.૩૦ કલાકે રબારી વાસ (મોરબી) માં થતી હોય ત્યારે સમસ્ત મચ્છુંકાઠાનાં રબારી સમાજને બાપુંનાં અમુલ્ય દર્શનનો લાભ લેવા મોયડા પરીવારે ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે.
પ.પુ.સંત શ્રી જયરામ ગીરી બાપુ વાળીનાથ (તરભ) ની મોરબીમાં પ્રથમ વખત પધરામણી રામજીભાઈ મોયડા પરીવારનાં આંગણે તા. ૧૯-૦૪-૨૦૨૪ ને શુક્રવાર સવારે ૯.૩૦ કલાકે રબારી વાસ (મોરબી) ખાતે થતી હોય ત્યારે સમસ્ત મચ્છુંકાઠાનાં રબારી સમાજને બાપુંનાં અમુલ્ય દર્શનનો લાભ લેવા મોયડા પરીવાર દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. તેમજ આ પ્રસંગે રાખેલ ધર્મસભામાં અતિથિ વિશેષ તરીકે મોરબીનાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા ઉપસ્થિત રહેશ. અને સમાજને કુરિવાજો બંધ કરવાં અને શિક્ષણનો વ્યાપ વધારવા માટે સમુહ પ્રયાસ કરે તેવો સંદેશ પાઠવશે. તેમ સુરેશભાઈ રાયકાની યાદીમાં જણાવ્યું છે.
