પર્યાવરણ પ્રેમીઓ દ્વારા પક્ષીઓને ખોરાક અને રેહઠાણ મળતું રહે અને પર્યાવરણ નું જતન થાય તે હેતુથી આજે રોજ ફ્લોરા રીવર સાઈડ ની બાજુમાં વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું
તેમાં 20 વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું તેમાં દેશી કુળ ના અને ફળાઉ વૃક્ષો વાવવા મા આવીયા હતા તેમાં વડ,ઉંમરો પીપળો, લીમડો, જામફળ,સેતુર બદામ, જાંબુ, સીતાફળ વગેરે વૃક્ષો રોપણ કરવામાં આવ્યું હતું વૃક્ષો વાવો અને ઉછેરો પર્યાવરણ બચાવો અને વૃક્ષો કપાતા બચાવો. ફ્લોરા રિવર સાઈડની ટીમના કિશોરભાઈ વિરમગામા, સુભાસ ભાઈ, અમિત ભાઈ, મનોજ ભાઈની ટીમે વૃક્ષો ના સારસંભાળ ની જવાબદારી લીધી છે. જયારે પર્યાવરણ પ્રેમી વિપુલભાઈ અને સાગરભાઈ કડીવાર, તેમજ યંગીસ્તાન ગ્રુપના નિર્મલસિંહભાઈ, આર્જવભાઈ, કશ્યપભાઈ, તેજશ ભાઈ, હાર્દિક ભાઈ, નીરવ ભાઈ સહિતના સભ્યોએ મળી ને વૃક્ષરોપણ કર્યું હતું. સાથે જ વધુ લોકો વૃક્ષારોપણ અભિયાન ચલાવી ને વૃક્ષો ઉછેરે તેવી અપીલ કરી હતી.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...