મોરબી: આગામી તારીખ ૧૦/૧૧/ ૨૦૨૪ અને રવિવારે સાંજે ૪ થઈ ૬ ગાયત્રી ચેતના કેન્દ્ર મોરબી ખાતે ગર્ભસંસ્કાર વિષે એક શિબિરનું ફ્રી આયોજન કરવામા આવેલ છે. આ શિબિરમાં રાજકોટ સંસ્કૃતિ આર્ય ગુરુકુલના સંચાલક ડૉ. મેહુલભાઇ આચાર્ય શિબિરાર્થીઓને માર્ગદર્શન આપશે. ડૉ. મેહુલભાઇ આચાર્ય આયુર્વેદના પ્રખંડ જ્ઞાતા છે. દર્શનાચાર્ય છે. આયુર્વેદ તથા દર્શનશાસ્ત્રમાં પી.એચ.ડી. છે. ખાસ મોરબીના આંગણે થનાર આ જ્ઞાનયજ્ઞમાં અનેક વિષયોની છણાવટ કરવામાં આવશે.
જેમાં મુખ્યત્વે, ગર્ભાવસ્થા પહેલાંની કાળજી, કુદરતી પ્રસુતિના ઉપાયો, પ્રસૂતિ પછીના આહાર વિહાર અને કાળજી, મંત્રૌષધિ સંસ્કારનું સંપૂર્ણ વિજ્ઞાન, ગર્ભસંસ્કાર, મંત્રપ્રયોગ અને વિવિધ વૈદિક સૂક્ત, નાના બાળકોની પરવરિશનું વિજ્ઞાન વગેરે વિષય પર જાણકારી મેળવવા નવપરણિત યુવાનો, સમસ્યાગ્રસ્ત યુવાનો, આયુર્વેદના જીજ્ઞાસુઓને હાજર રહેવા હાકલ કરવામાં આવે છે. હાજર પરિણિત યુગલોને મધૂરમ ફાઉન્ડેશન તરફથી “ગર્ભવિજ્ઞાન” પુસ્તક ભેટ સ્વરૂપે આપવામાં આવશે.
આ શિબિરનું આયોજન મધૂરમ ફાઉન્ડેશન તથા ગાયત્રી પરિવાર દ્વારા કરવામાં આવેલ છે. કોઇ ચાર્જ નથી, બિલ્કુલ ફ્રી શિબિર છે પણ વ્યવસ્થાના ભાગ રૂપે 9426232400 પર ફોન કે વોટસએપથી જાણ કરવા વિનંતિ છે.
૭૦ વર્ષના દર્દી જેમને જમણા પડખામાં દુખાવો, પેશાબમાં બળતરા, ઉલટી જેવા લક્ષણો હતા, તે આયુષ હોસ્પિટલમાં બતાવા માટે આવેલા. જ્યાં ડૉ. કેયુર પટેલ દ્વારા આગળ સી.ટી. સ્કેન કરતા જણાયું કે દર્દીની જમણી કીડની ની નળી માં પથરી ફસાઈ ગયેલ છે. દર્દીને પથરી લાંબા સમયથી ફસાયેલ હોવાથી જમણી કીડનીમાંથી પેશાબ...
મોરબી શહેરમાં માળિયા વનાળીયામા રહેતા સામાજિક કાર્યકરને એક શખ્સ સાથે અગાઉ બોલાચાલી ઝઘડો થયેલ હોય જે બાબતનો ખાર રાખી એક શખ્સે વૃદ્ધ સામાજિક કાર્યકરને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી શરીરે મુંઢ ઈજા પહોંચાડી હોવાની સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના માળિયા વનાળીયામા...