મોરબી: મોરબી તાલુકાના લીલાપર ઘુંનડા રોડ પર આવેલ ફોરેસ્ટ વિભાગના જંગલમાં આગ લાગી હતી જેની જાણ ફાયર વિભાગની ટીમને કરતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ આગ પર કાબુ મેળવ્યો હતો.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના લીલાપર ઘુંનડા રોડ પર આવેલ ફોરેસ્ટ વિભાગનાં જંગલમાં ગત મોડીરાત્રે આગ લાગી હતી આ અંગે ફોરેસ્ટ વિભાગ દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરતા મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસના જવાનો એ ફાયર ફાઈટિંગ કરેલ સંપૂર્ણ ફાયર પર કંટ્રોલ કરેલ સાથે સાથે ફોરેસ્ટ વિભાગની ટીમ એ સારી કામગીરી અને ફાયર કંટ્રોલ રૂમમાં વહેલી તકે જાણ કરી હોવાથી આગને વધારે વધતાં અટકાવી હતી તેમજ ફાયર ટીમ અને ફોરેસ્ટ વિભાગની ટીમની સુઝબુઝને કારણે કોઈ જાનહાનિ થયેલ નહી આગ લાગવાનું કારણ હજી સુધી અકબંધ છે.
શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી દ્વારા સંચાલિત શ્રી આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિક, મોરબી દ્વારા મફત ફિઝીયોથેરાપી આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં આશરે ૩૦ જેટલા દર્દીઓએ લાભ મેળવ્યો હતો, જેમાં વિવિધ પ્રકારની ફિઝીયોથેરાપી સંબંધિત સમસ્યાઓ માટે નિદાન, સારવાર તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ફિઝીયોથેરાપી કેમ્પનું નેતૃત્વ ડૉ. હિરલ જાદવાની,...
હળવદ માળિયા હાઈવે રોડ ઉપર ફાઉન્ટન હોટલના ગ્રાઉન્ડમાં આધેડની ટ્રક ઉભી હોય તેના પર ચાર અજાણ્યા શખ્સો દ્વારા પથ્થરના ઘા મારતાં હોય જેથી આધેડે તેને શા માટે નુકસાની કરો છો તેમ કહેતા આરોપીઓએ આધેડને ઢીકાપાટુનો મુંઢમાર મારી ટ્રકમાં નુકસાની કરી હોવાની ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મૂળ ઉત્તરપ્રદેશના વતની...