Saturday, July 27, 2024

મોરબીનાં રાજપર ગામે રાજકીય વગના ઓઠા હેઠળ ચાલતી બેફામ ખનીજ ચોરી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીમાં ચાલતી બેફામ ખનીજ ચોરી અટકાવવામાં મોરબી ખાણખનીજ વિભાગ વામણું પુરવાર થઈ રહ્યું છે

મોરબીનાં રાજપર ગામે રાજપર થી ચાચાપર જવાના રોડ ની બંને સાઈડમાં આવતા તળાવમાં હાલ કેટલાય સમયથી બે રોક ટોક ખનીજ ચોરી કરવામાં આવી રહી છે જેમાં હિટાચી મશીનો ની મદદ થી તળાવમાંથી માટી કાઢીને ડમ્પરો ભરી ભરીને ખનીજ માફીયાઓ દ્વારા ખનીજ ચોરી કરવામાં આવી રહી છે.

જો સ્થાનિક સૂત્રોનું માનીએ તો આ ખનીજ ચોરી કોઈ મોટી રાજકીય વગના ઓઠા હેઠળ કરવામાં આવી રહી છે જેથી ખનીજ માફીયાઓ આ જગ્યા પરથી રોજ ઘણા ડમ્પરો ભરીને ભરીને ખનીજ ચોરી કરી ને લાખો રૂપિયા રળી રહ્યાં છે અને સરકારની તેજુરી ને નુકશાન કરી રહ્યા છે

આમતો આખા મોરબી જિલ્લામાં ઘણી ખરી જગ્યા પર ખનીજ માફીયાઓ દ્વારા ખનીજ ચોરી કરવામાં આવી રહી છે પણ ખાણખનીજ વિભાગ ક્યારેક ક્યારેક નાની માછલી પકડી લઇ અને વાહ વાહી કરી રહી છે અને મોટા મગર મચ્છો પર કોઈ કાર્યવાહી કરતું નથી કેમ કે કદાચ ત્યાં ઉપર ની મલાઈ વધુ આવતી હશે અથવા કોઈ રાજકીય દબાણ આવતું હશે.

આજ પ્રકારે મોરબીનાં રાજપર ગામે મુખ્ય રોડ પર આવેલા તળાવ માંથી બેફામ ખનીજ ચોરી કરવામાં આવી રહી છે જોઈએ આ સમાચાર બાદ ખાણખનીજ વિભાગ ખનીજ ચોરી બંધ કરાવી શકશે કે પછી આ ખનીજ ચોરી બે રોક ટોક ચાલુ રહશે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર