મોરબીના પંચાસર રોડ પર આવેલા રાજનગર ખાતે રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી ઉત્સવની ઉજવણી છેલ્લા ૦૭ વર્ષથી કરવામાં આવે છે.
ત્યારે આ વર્ષે પણ તારીખ 26 ઓગસ્ટને સોમવારના રોજ જન્માષ્ટમીએ સવારે ૦૮ કલાકે પંચાસર રોડ પરની જુદી-જુદી ૦૬ સોસાયટીમાં ભવ્ય રથયાત્રા સાથે મટકી ફોડ તથા રાસ ગરબાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તેમજ તા.૨૬ ઓગસ્ટે રાત્રે કૃષ્ણ જન્મોત્સવ તથા રાત્રે ૧૨:૧૫ કલાકે હરસિદ્ધિ હનુમાનજીના મંદિરે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. તેથી આ કાર્યક્રમમાં તમાંમ રાજનગર તથ આસપાસના સોસાયટીના તમામ ભાઈઓ બહેનોને હાજર રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
નોધ:- દેરેક ભક્તજનોએ પોતાની આરતી ખાલી થાળી તૈયાર કરી લાવવી. આરતી માટે જરૂરી સામાન જેવા કે કોળીયો, દિવેલ, વાટ વગેરે આયોજકો દ્વારા અપવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નારી સશક્તિકરણ તથા ઘર ઘર સ્વદેશી, હર ઘર સ્વદેશીની નેમ સાથે મહિલાઓ પગભર બને અને સાથે સાથે દેશની પ્રત્યેક વ્યક્તિ રોજિંદી જીવનમાં સ્થાનિક અને ખાસ કરીને સ્વદેશી ઉત્પાદનોનો ઉપયોગ કરે તેવું સ્વપ્ન સેવ્યું છે.
વડાપ્રધાનના આ વોકલ ફોર લોકલ તેમજ આત્મનિર્ભર ભારતની વિભાવનાને સાર્થક કરવા અનેકવિધ આયોજનો...
લાયન્સ કલબ ઓફ મોરબી સીટી હંમેશા સેવા સહકાર ની ભાવના સાથે સેવાકીય પ્રોજેક્ટ કરી રહ્યું છે જેમાં લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ના દાતા લા. હસુભાઈ પાડલિયા તરફથી આ ટ્રાયસિકલ તેમના પાટીદાર મેડિકલ સાધન સહાય ઓફિસ શકત શનાળા ખાતે આપવામાં આવી .
આ સેવાકીય પ્રોજેક્ટમાં પાસ્ટ પ્રમુખ લા ત્રિભોવનભાઈ સી...