મોરબી: મોરબી તાલુકાના રંગપર ગામે કડવાચોથના દીવસે પતિને વહેલુ આવવા કહેલ પતિએ કામ હોવાથી મોડુ થાશે તેમ કહેતા માઠુ લાગી આવતા પરણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રંગપર ગામે રહેતા આરતીબા જયદીપસિંહ ઝાલા (ઉ.વ.૨૧) એ ગત તા ૧૩-૧૦-૨૦૨૨ ના રોજ કોઇપણ સમયે આરતીબાને કડવાચોથનુ વ્રત હોય જેથી પોતાના પતિને કામથી વ્હેલા ઘરે આવવા કહેતા પોતાના પતિએ કહેલ કે પોતાને કામ છે. જેથી મોડુ થાશે જે બાબતે લાગી આવતા પોતાની જાતે રૂમમા પંખા સાથે સાડી વડે ગળેફાંસો ખાઇ જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
મોરબી શહેરમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલા એક ઈસમને પાસા હેઠળ ડીટેઇન કરી આરોપીને મોરબી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા લાજપોર મધ્યસ્થ જેલ સુરત હવાલે કરવામાં આવ્યો છે.
મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા તેઓએ પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ આરોપી રવિભાઇ...
મોરબી શહેરમાં દારૂબંધીના લીરે લીરા ઉડી રહ્યા છે ત્યારે મોરબીના ત્રાજપર ચાર રસ્તા પાસે ટી.કે. હોટલ પાસે શુભલક્ષ્મી એપાર્ટમેન્ટ -૨ ના પાર્કિંગમા એક્ટીવા મોપેડની ડેકીમાંથી વિદેશી દારૂની ૦૫ બોટલ સિટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડી છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ...