મોરબી: મોરબીમાં નવલખી ફાટક પાસે યોગી વિદ્યાલય પાછળ વીસીપરામા કામ કરતી વેળાએ ઈલેક્ટ્રીક તાર ને અડકી જતા શોક લાગતા યુવકનુ મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ મુળ રાજસ્થાનના વતની અને હાલ વાડજ અમદાવાદમાં રહેતા નથુલાલ સોહમ સરફોટા (ઉ.વ.૨૧) નામનો યુવક મોરબીમાં નવલખી ફાટક પાસે યોગી વિધ્યાલય પાછળ વીસીપરામા મકાનનું સેન્ટીંગ કામ કરતી વેળાએ અચાનક કોઈ કારણસર ઈલેક્ટ્રીક તારને સ્પર્શ થતા શોટ- સર્કિટ થતા શોર્ટ લાગતા યુવકનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડીવીજન પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
હળવદ તાલુકાના કવાડિયા ગામે યુવકની પત્ની બે મહિનાથી રીસામણે હોય અને પત્ની દ્વારા કવાડિયા આવવાની ના પાડેલ હોય જેથી કંટાળી યુવકે ગળે ફાંસો ખાઈ જતા યુવકનું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના કવાડિયા ગામે રહેતા વિરમભાઈ ઉર્ફે હક્કો ધનજીભાઈ કોપાણીયા (ઉ.વ.૩૦) નામના યુવકની પત્ની છેલ્લા બે મહિનાથી રિસામણે...
મોરબી શહેરમાં વિદેશી દારૂનું વેચાણ શેરીએ અને ગલીએ ચાલી રહ્યું છે ત્યારે મોરબીના સામા કાંઠે આવેલ મહેન્દ્રનગર ચાર રસ્તા પાસેથી વિદેશી દારૂની ચાર બોટલ જેની કિંમત રૂપિયા ૨૧૪૮ ના મુદ્દામાલ સાથે એક ઈસમ ને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ...
મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરનો જીર્ણોધાર મહોત્સવ આગામી તા. 11 ના રોજ યોજાશે. ત્યારે યજ્ઞ સહિતના ધાર્મિક પ્રસંગો તેમજ સંતો મહંતોની હાજરીમાં ધર્મસભા રાખવામા આવેલ છે. અને ત્યારે રાજ્યના મંત્રી સહિતના રાજકીય અગ્રણીઓ સહિતના હાજર રહેશે. ત્યારબાદ ગામનો સમૂહ પ્રસાદનું યોજાશે જેનો વધુમાં વધુ લોકોને લાભ લેવા...