મોરબી: ૨૦૨૨ ની ચુંટણીમાં વાંકાનેરમાં આમ આદમી પાર્ટીના પૂર્વ ઉમેદવાર અને અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ વિક્રમ સોરાણી ૨૯ એપ્રીલે ભાજપના અધ્યક્ષ પાટીલની ઉપસ્થિતિમાં કેસરીયા કરી ભાજપમાં જોડાશે.
ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રવાદી વિચારધારા તેમજ રામમંદિર, ૩૭૦ કલમ જેવા અનેકો સત્કાર્યોથી પ્રેરાઇ યથાશક્તિ પ્રમાણે યોગદાન આપવાના સંકલ્પ સાથે ૨૦૨૪ લોકસભાની ચુંટણીમાં અખિલ ભારતીય કોળી સમાજના યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ અને શિવાજી સેનાના પ્રમુખ વિક્રમભાઈ સોરાણી વિશાળ સમર્થકોના મહાસાગર સાથે આગામી તારીખ ૨૯/૦૪/૨૦૨૪ ને સોમવારના રોજ સાંજે ૫-૦૦ કલાકે સ્થળ અમદાવાદ નેશનલ હાઇવે પર આવેલ રાજકોટના રામપરા (બેટી) ગામે ખાતે ગુજરાત પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર. પાટીલની પ્રેરણાદાયી ઉપસ્થિતીમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ કેસરીયા કરશે.
મોરબી: મોરબીના મહેન્દ્રનગર ચોકડી પાસે શિવમ હાઇટ્સમા કામ કરતી વખતે ઉપરથી ઈંટ પડતા યુવાનનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ જયકુમાર રાધેલાલ યાદવ (ઉ.વ.૩૯) રહે. મીલન પાર્ક મહેન્દ્રનગર મોરબીવાળા શિવમ હાઇટ્સમા કામ કરતા હતા ત્યારે ઈંટ માથાના ભાગે પડતા ઇજા થતા પ્રાથમિક સારવાર ખાનગી હોસ્પિટલ મોરબીમાં લઈ વધુ સારવાર માટે...