Friday, May 30, 2025

મોરબીની વિશ્વકર્મા સોસાયટી ખાતે શનિવારે પુષ્પ નક્ષત્રમાં નિઃશુલ્ક સુવર્ણપ્રાશન ટીપાંનો કેમ્પ યોજાશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: પુષ્પ નક્ષત્રમાં દર વખતની જેમ આં વખતે પણ તારીખ ૩૧-૦૫-૨૦૨૫ ને શનીવારે નાં રોજ સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્ રાજકોટના સહયોગથી નિ : શુલ્ક સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવવા નું આયોજન મોરબીની વિશ્વકર્મા સોસાયટી ખાતે કરેલ છે. જ્યા નાના બાળકો ઉંમર ૦ થી ૧૫ વર્ષ સુધીનાં ને સુવર્ણપ્રાશનના ટીપા પીવડાવવામાં આવશે.

આ સુવર્ણપ્રાશનના ટીપા ૩૧ મેં ને શનિવારના રોજ સવારના ૦૯:૦૦ થી ૦૧:૦૦ વાગ્યા સુધી મોરબીના રવાપર રોડ પર આવેલ હનુમાનજી મંદિર પાસે નીલકંઠ સ્કૂલ સામે વિશ્વકર્મા સોસાયટી ખાતે સુવર્ણપ્રાશનના ટીપા ફ્રીમાં પીવડાવવામાં આવશે. આ કેમ્પમાં શ્રી ઉમિયા સિનિયર સિટીઝન ક્લબ મોરબીના સભ્યો સેવા આપશે. આ કેમ્પમાં અંદાજીત ૧૫૦ જેટલા બાળકો લાભ લે છે. તેથી આ કેમ્પનો લાભ લેવા આસપાસના વિસ્તારના લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે. તેમજ વધું માહિતી માટે મોબાઇલ નંબર ૯૪૨૭૨૧૩૯૯૯ પર સંપર્ક કરવો.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર