નવલખી રોડ પર અવારનવાર અકસ્માતો બનતા હોય છે ત્યારે આ રોડ એ ઘણા લોકોનો ભોગ લીધો છે ત્યારે વધુ એક અકસ્માત માં એક વ્યક્તિનો ભોગ લીધો છે. બે ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ક્લીનર નું મોત નીપજ્યું હતું.
બનાવની મળતી માહિતી અનુસાર નવલખી રોડ પાસે આવેલ શાંતિનગર સોસાયટી પાસે બે ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એક ડમ્પર ચાલકને ગોઠણના ભાગે ઈજાઓ પહોંચી હતી ત્યારે તેમની સાથે રહેલ ક્લીનર કિશોરભાઈ ભંગેરિયા ને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મોત નિપજ્યું હતું
