મોરબીનાં બોરીયાપાટી થી દલવાળી સર્કલ સુધીનો રોડ વન વે અને નો પાર્કિંગ ઝોન કરવાની વાત ફકત લોલીપોપ !!!
મોરબીમાં ટ્રાફિક સમસ્યા માથાનો દુખાવો સાબીત થઇ રહી છે ત્યારે મોરબીનાં કેટલાક રોડ વન વે જાહેર કરી ને ટ્રાફિકની સમસ્યા હળવી બનાવી શકાય તેમ છે
આજ બાબતે અવની ચોકડી ના કેટલાક લોકોએ અનેક વખત રજૂઆતો કરી છે તેમજ મોરબીના ધારાસભ્ય અને મોરબીનાં અધિક કલેકટર અવની ચોકડી ખાતે એક ખાત મુહૂર્ત કાર્યક્રમમાં હાજર રહેલ તે દરમિયાન રૂબરૂ આ બાબતની મૌખિક રજૂઆત પણ કરી હતી
ત્યારે જોસ માં આવી જઇને કાંતિભાઈ અમૃતિયા એ આ બાબતે ડંફાસો કરતા જણાવ્યું હતું કે ૨-૩ દિવસમાં જ આ રોડ વન વે કરાવી આપીશ અને સ્થળ પર હાજર અધિક કલેકટર એન.કે. મુછાર ને આ બાબતે જાહેરનામું પ્રસિદ્ધ કરવા પણ કહ્યું હતું અને અધિક કલેકટર એન.કે. મુછારે પણ આ બાબતે ૨-૩ દિવસમાં જાહેર નામુ બહાર પાડી ને આ રોડ વન વે તેમજ નો પાર્કિંગ ઝોન પણ જાહેર કરી ટ્રાફિક ની સમસ્યા માંથી બહાર કાઢવા પ્રયાસ કરવામાં આવશે તેવી વાત મીડિયાની હાજરીમાં કહી હતી પણ ..મજાની વાત તો એ છે કે એ વાત ને મહિનાઓ વીતી ગયા છતાં આજ દિવસ સુધી આ રોડ વન વે થયો નથી
શું કોઈ અન્ય નેતાના દબાવમાં કે કોઈ મોટા બિલ્ડરોના ઇશારે આ રોડ વન વે કરવામાં આવતો નથી તેવી પણ ચર્ચા થઈ રહી છે કેમ કે આ રોડ પર મોટા મોટા બિલ્ડરોનાં એપાર્ટમેન્ટ આવેલા છે જેમાં કોઈ પણ પ્રકારની પાર્કિગની સુવિધાઓ નથી જેથી આ એપાર્ટમેન્ટ નાં રહીશો દ્વારા પોતાના વાહનો આ રોડ પર પાર્કિંગ કરી દેવામાં આવે છે તેમજ મોટા ગજાના નેતા નાં શોપિંગ માર્કેટો આવેલા ધારાસભ્યની ઓફિસ આવેલી છે જેના કારણે જો આ રોડ વન વે થઈ જાય તો આ લોકોને પોતાના વાહનો આડેધડ પાર્ક કરવામાં તકલીફો પડે તેમ છે જેના કારણે પણ ક્યાંક ને ક્યાંક આ રોડ વને કરવામાં આવતો નથી
જો ખરે ખર કાંતિભાઈ અમૃતિયા ની કરની અને કથની ફેર નાં હોઈ અને અધિક કલેકટરે જાહેરમાં લોકોને આપેલું આશ્વાસન ખોટું ન હોઈ તો પ્રજાને પડતી હાલાકી માંથી બહાર કાઢવા માટે તાત્કાલિક આ આખો રોડ વન વે કરવો જોઈએ
મોરબી: અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છેલ્લા 75 વર્ષ થી વિદ્યાર્થીઓના હિત માટે કાર્યરત રહી વિદ્યાર્થીહિત અને રાષ્ટ્રહિત ના કાર્યો કરતું વિશ્વનું સૌથી મોટું વિદ્યાર્થી સંગઠન છે.
TET TATની પરીક્ષામાં જે સરકાર દ્રારા જ્ઞાન સહાયક ભરતી યોજના બનાવમાં આવી છે તેમાં 11 મહિનાના કરાર આધારીત ભરતી કરવામાં આવશે. તો ABVP ની...
મોરબી શહેરમાં વાહનોની સંખ્યામાં વધારો થયો હોવાથી દલવાડી સર્કલ થી લીલાપર ચોકડી સુધી, રવાપર ગામથી રવાપર ચોકડી થઈ લીલાપર ચોકડી સુધી તથા ભક્તિનગરથી ઉમિયા સર્કલ સુધી દિવસ દરમિયાન ભારે વાહનોની અવર જવર બંધ કરવામાં આવે તો ટ્રાફીક સમસ્યા હલ થઈ શકે તેમ છે.
જેથી જિલ્લા મેજીસ્ટ્રેટ જી. ટી. પંડયા દ્વારા...
માળિયા (મી): માળિયા (મી) તાલુકાના બગસરા ગામે ગ્રામ સભા યોજાઈ હતી જેમાં અગાઉ થયેલ રજુઆતનો નિકાલ ન આવતા ગ્રામ સભામાં ગણ્યા ગાંઠ્યા ગ્રામજનો હાજર રહ્યા હતા.
માળીયા (મી) તાલુકાના બગસરા ગામે આજ સરકાર દ્વારા મહાત્મા ગાંધી જન્મ જયંતિ નિમિત્તે ગ્રામ સભા રાખવામાં આવી હતી પણ અગાઉ અનેક ગ્રામ સભામાં થયેલ...