મોરબી: રાજ્યભરમાં હાલ નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે અનેક જગ્યાએ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મોરબીના સેવાભાવી એવા અજયભાઈ લોરિયા દ્વારા સંચાલિત સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા મોરબીમાં પાટીદાર નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ પ્રાંતના સંઘચાલક ડો. જયંતિભાઈ ભાડેશીયા તેમના પરીવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. અને ડો. જયંતિભાઈ ભાડેશીયાના વરદ હસ્તે શહીદ જવાનોના પરિવારજનોને રૂપીયા ૧-૧ લાખના ચેક આપવામાં આવ્યા હતા.
મોરબીમાં પાટીદાર નવરાત્રિ મહોત્સવના બીજા નોરતે અજયભાઈ લોરિયા દ્વારા બનાસકાંઠાના વડગામના શહીદ જવાન રમેશભાઈ અને મહેમદપુર (જમ્મુ)ના શહીદ જવાન જસવંતસિંહના પરિવારજનોને રૂપિયાના એક -એક લાખના ચેક આપી આર્થિક સહાય કરી હતી.
રાજકોટ મોરબી હાઈવે રોડ ઉપર ટંકારાના છતર ગામ પાસે ક્રેટા, કિયા, અને વર્ના કારમાંથી વિદેશી દારૂની ૩૪૦ બોટલ કિં રૂ.૯,૭૫,૬૦૨ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં રૂ. ૨૨,૪૦, ૬૦૨ નાં મુદામાલ સાથે ચાર ઈસમોને ટંકારા પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય બે શખ્સો સ્થળ પર હાજર ન મળી આવતા...
માળીયા મીંયાણા શહેરમાં સરકારી હોસ્પિટલ પાસે યુવતીનો ભાઈ આરોપીની ભત્રીજીને બે અઢી વર્ષ પહેલાં ભગાડી લગ્ન કરી લિધેલ હોય જેનો ખાર રાખી ત્રણ શખ્સોએ યુવતી સહિત ત્રણ વ્યકિત પર લાકડાના ધોકા, પાઈપ તથા ધારીયા વડે હુમલો કરી ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની માળિયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ...
માળીયા (મીં)ની પીપળીયા ચોકડી આગળ રાધે ક્રિષ્ના હોટલ પાછળ ખુલ્લી જગ્યામાં આરોપીઓએ ભેળસેળયુક્ત પેટ્રોલીંયમ પ્રવાહીનો જથ્થો બાયો ડીઝેલ છે તેમ કહી ટ્રક માલિકોને વેચાણ કરી ટ્રક માલિકો સાથે છેતરપીંડી કરતા ટેન્કર ભરેલ ભેળસેળયુક્ત પેટ્રોલીંયમ પ્રવાહીનો જથ્થો મોરબી એલસીબી પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી...