Thursday, April 25, 2024

પીએમ મોદીએ મહારાષ્ટ્ર અને તમિલનાડુના મુખ્યમંત્રીઓ સાથે વાત કરીને કોરોના સ્થિતિ અંગેનો તાગ મેળવ્યો.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં કોરોના વાયરસના સંક્ર્મણને કારણે સર્જાયેલી સ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ અંગે તેમણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને તમિલનાડુના નવા ચૂંટાયેલા મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન સાથે ફોન પર વાત કરી હતી. છેલ્લા કેટલાક દિવસોથી પ્રધાનમંત્રી દેશના વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ફોન દ્વારા સંપર્કમાં છે અને સંક્રમણની પરિસ્થિતિનો તાગ મેળવતા રહ્યા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની પ્રશંસા કરતાં પ્રધાનમંત્રીએ ફોન પર કહ્યું હતું કે, મહારાષ્ટ્રને શક્ય તેટલી શ્રેષ્ઠ રીતે રોગચાળાની બીજી લહેરનો સામનો કરવો પડ્યો હતો. મુખ્યમંત્રીએ વડા પ્રધાનની સહાય માંગી હતી અને મહારાષ્ટ્રને ઓક્સિજન અને અન્ય જરૂરી મદદ પૂરી પાડવા વિનંતી કરી હતી. દેશના સૌથી વધુ ચેપ ગ્રસ્ત રાજ્યોમાંનું એક મહારાષ્ટ્ર રોગચાળાની બીજી લહેરને કારણે ખરાબ સ્થિતિમાં છે. જોકે હવે મુંબઈ સહિત અન્ય કેટલાક શહેરોમાં સ્થિતિ પુનઃસ્થાપિત થઈ રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 54,000થી વધુ નવા કેસ નોંધાયા છે.

તમિલનાડુમાં દસ દિવસ લોકડાઉન

બીજી તરફ તમિલનાડુમાં 10 મેથી 24 મે સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ નિર્ણયની જાહેરાત કરતાં મુખ્યમંત્રી સ્ટાલિને કહ્યું હતું કે, ફરજિયાત પ્રવૃત્તિઓ માટે પરવાનગી આપવામાં આવશે. લોકડાઉન ૧૦ મેના રોજ સવારે ૪ વાગ્યે લાગુ થશે અને ૨૪ મેના રોજ સવારે ૪ વાગ્યે સમાપ્ત થશે. લોકોની સેવા માટે શનિવાર, 8 મે અને રવિવાર, 9 મેના રોજ સવારે 6 થી રાત્રે 9 વાગ્યા સુધી દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. લોકડાઉન દરમિયાન તમામ દુકાનો સવારે ૬ વાગ્યાથી બપોર સુધી ખુલવાની મંજૂરી આપવામાં આવશે.

સુપ્રીમ કોર્ટે પણ બીએમસીના સંચાલનની પ્રશંસા કરી.

મુંબઈમાં ઓક્સિજન સપ્લાય મેનેજમેન્ટ પર બીએમસીની સુપ્રીમ કોર્ટમાં પણ પ્રશંસા કરવામાં આવી હતી. દેશભરમાં કોરોનાના દર્દીઓ માટે ઓક્સિજનની લડાઈ ચાલી રહી છે, ત્યારે સુપ્રીમ કોર્ટે મુંબઈમાં કોરોનાના દર્દીઓ માટે જે રીતે બ્રિહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)એ ઓક્સિજનનું સંચાલન કર્યું છે તેની પણ પ્રશંસા કરી હતી. વાસ્તવમાં દેશમાં ઓક્સિજનની ચાલી રહેલી અછતની સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, 92,000 દર્દીઓનો આંકડો પાર કરી ચૂકેલા અત્યંત ગીચ વસ્તીવાળા મહાનગર મુંબઈ માત્ર 235 ટન ઓક્સિજનથી તેના દર્દીઓની સંભાળ લઈ રહ્યું છે, જ્યારે ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડ અને એમઆર શાહની ખંડપીઠે સવાલ કર્યો હતો કે દિલ્હીને 700 ટન ઓક્સિજનની જરૂર કેમ છે ? અને દિલ્હી સરકારને બીએમસી પાસેથી શીખવા જણાવ્યું હતું સાથે સલાહ પણ આપી.

 

 

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર