રઘુવંશી યુવક મંડળ મોરબી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ 11 સપ્ટેમ્બરના રોજ લોહાણા જ્ઞાતિના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા માટે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. રઘુવંશી યુવક મંડળ મોરબી દ્વારા યોજાનાર આ સરસ્વતી સન્માન સમારોહમાં ભાગ લેવા માટે તથા ફોર્મ ભરવા માટેની અંતિમ તારીખ 1લી સપ્ટેમ્બર રાખવામાં આવી છે. અંતિમ તારીખ બાદ ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં તેથી જે વિદ્યાર્થીઓ ભાગ લેવા ઈચ્છતા હોય તેઓએ ફોર્મ મેળવીને પરત કરવા પ્રમુખ સુનિલભાઈ ચંદારાણાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
ફોર્મ મેળવવા તથા પરત આપવા માટે મોરબીના કુબેરનાથ મંદિરવાળી શેરીમાં આવેલા મનોજ ઝેરોક્ષ, નવાડેલા રોડ પર આવેલા દરિયાલાલ આલુ ભંડાર અને નવા બસ સ્ટેન્ડની સામે આવેલા કેવિન ગેસ સેલ્સ એન્ડ સર્વિસ ખાતે સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.
આ સન્માન સમારોહ 11 સપ્ટેમ્બર ને રવિવારના રોજ લોહાણા વિદ્યાર્થી ભુવન, વસંત પ્લોટ, મોરબી ખાતે યોજાનાર છે. વધુ માહિતી માટે પ્રમુખ સુનિલભાઈ ચંદારાણા તથા પ્રોજેક્ટ ચેરમેન રવિભાઈ કોટેચાનો સંપર્ક કરવા જણાવાયું છે.
ગત વર્ષે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનની સ્થાપના ના 25 વર્ષ પૂર્ણ થતા સિલ્વર જયુબિલી ની ધમાકેદાર ઉજવણી કરવામાં આવી હતી એમાં ભૂતપૂર્વ સ્ટાફ અને ભૂતપૂર્વક સ્ટુડન્ટસ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયાને વિચાર આવ્યો કે સમગ્ર નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના વર્તમાન વાલીઓને પણ આપણે એક સાથે બોલાવીએ...
મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર દ્વારા ક્લસ્ટર નં-૦૯ની વિઝીટ કરવામાં આવેલ. જેમાં ક્લસ્ટર નં-૦૯ ના સફાઇ કર્મચારીની હાજરીની ચકાસણી કરવામાં આવેલ.
તદુપરાંત ધુનડા રોડ, સ્ટેટ હાઇવે, ગોકુલનગર તથા ભક્તિનગર પાસે આવેલ GVP પોઈન્ટની વિઝીટ કરવામાં આવેલ તથા લાઈન્સ નગર તેમજ શ્રીજી પાર્ક સોસાયટી ખાતે ડોર ટુ ડોર કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવેલ. જાહેરમાં...