રઘુવંશી યુવક મંડળ મોરબી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ 11 સપ્ટેમ્બરના રોજ લોહાણા જ્ઞાતિના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા માટે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. રઘુવંશી યુવક મંડળ મોરબી દ્વારા યોજાનાર આ સરસ્વતી સન્માન સમારોહમાં ભાગ લેવા માટે તથા ફોર્મ ભરવા માટેની અંતિમ તારીખ 1લી સપ્ટેમ્બર રાખવામાં આવી છે. અંતિમ તારીખ બાદ ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં તેથી જે વિદ્યાર્થીઓ ભાગ લેવા ઈચ્છતા હોય તેઓએ ફોર્મ મેળવીને પરત કરવા પ્રમુખ સુનિલભાઈ ચંદારાણાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
ફોર્મ મેળવવા તથા પરત આપવા માટે મોરબીના કુબેરનાથ મંદિરવાળી શેરીમાં આવેલા મનોજ ઝેરોક્ષ, નવાડેલા રોડ પર આવેલા દરિયાલાલ આલુ ભંડાર અને નવા બસ સ્ટેન્ડની સામે આવેલા કેવિન ગેસ સેલ્સ એન્ડ સર્વિસ ખાતે સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.
આ સન્માન સમારોહ 11 સપ્ટેમ્બર ને રવિવારના રોજ લોહાણા વિદ્યાર્થી ભુવન, વસંત પ્લોટ, મોરબી ખાતે યોજાનાર છે. વધુ માહિતી માટે પ્રમુખ સુનિલભાઈ ચંદારાણા તથા પ્રોજેક્ટ ચેરમેન રવિભાઈ કોટેચાનો સંપર્ક કરવા જણાવાયું છે.
હળવદ તાલુકાના કવાડીયા ગામની સીમમાં આવેલ સોલાર પ્લાન્ટમાં થયેલ કેબલ વાયર ચોરીના ગુનામાં વધુ સાત આરોપીઓ હળવદ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે.
હળવદ પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ કવાડીયા ગામની સીમમાં થયેલ કોપર કેબલ ચોરીના ગુનાના પકડવાના બાકી રહેલ આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન વધુ સાત આરોપીઓ પ્રતાપભાઇ ઉર્ફે પી.ડી. દાનુભાઇ...
મોરબી શહેરમાં વોર્ડ નંબર- 2માં આવેલ લાઈન્સ નગર મુખ્ય માર્ગ તેમજ ગોર ખીજડીયા માર્ગ તરીકે ઓળખાય છે તે બને માર્ગો ને આઇકોનિક રોડ (Iconic Road) તરીકે ફાણવણી કરવા જાગૃત નાગરિક પ્રવીણકુમાર શુકલએ મોરબી મ્યુનિસિપલ કમિશ્નરને લેખીત રજુઆત કરી માંગ કરી છે
રજુઆતમાં જણાવ્યું હતું કે મોરબી શહેરના સૌંદર્યવર્ધન અને સુવિધાસભર...
મોરબી ખાતે દાદા ભગવાન ફાઉન્ડેશન દ્વારા પ.પૂ. દાદા ભગવાન ની ૧૧૮મી જન્મજયંતિ નિમિતે જોવા જેવી દુનિયા કાર્યક્રમ નું અલૌકીક આયોજન કરવામાં આવ્યુ છે. સમાજ ના ઉત્થાન તેમજ સુધારણા માટે આયોજીત આ કાર્યક્રમ માં મોરબી જલારામ ધામ ની ટીમ દ્વારા સેવા અર્પણ કરવામાં આવી હતી.
વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા...