રાજપર રોડ પર આવેલા એરપોર્ટ ફીડરમાં વારંવાર રજૂઆત કરવા છતાં દિવસમાં ૫ થી ૬ વખત ટ્રીપિંગ આવતું હોય છે, જેના કારણે ઇન્ડસ્ટ્રી સંચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે,
ત્યારે રીપેરીંગ કરવા બાબતે જીઇબીમાં વારંવાર રજૂઆતો કરી છે, છતાં પણ ઉપરથી પૂરતો માલસામાન નથી આવતો હોવાનું અધિકારીઓ રટણ કરી રહ્યા છે, સારી સુવિધા મળે તે માટે એક ઇન્ડસ્ટ્રીઝ ૨૦ થી ૨૫ લાખ રૂપિયાની ડિપોઝીટ જીઈબીમાં જમા કરી હોય છે, પરંતુ જો આ જ રીતે ટ્રીપિંગના ધાંધિયા રહે તો આ ડિપોઝિટ આપવાનો કોઈ મતલબ રહેતો નથી તેવું ઇન્ડસ્ટ્રી સંચાલકો જણાવી રહ્યા છે. જેને લઈને આજે મોરબીના જીઈબીના એન્જિનિયરોને આવેદનપત્ર આપી રોસ ઠાલવવા આવ્યો હતો અને ઝડપથી આ પ્રશ્નનું સોલ્યુશન થાય તે માટેના રજૂઆત કરી આવેદન આપવામાં આવ્યું હતું. ઇન્ડસ્ટ્રી સંચાલકોને આ પ્રશ્નનો સામનો ક્યાં સુધી કરવો પડે છે તે જોવું રહ્યું
મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાની રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા સંયુક્ત રીતે આગામી તા.૦૧-૦૯-૨૦૨૫ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે આઈ.ટી.આઈ.-મહેન્દ્રનગર ખાતે મોરબી ક્લસ્ટર કક્ષાના મેગા ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ આયોજન અનિવાર્ય સંજોગોના કારણે રદ કરવામાં આવ્યું છે. જેના બદલે નિયત સ્થળ અને સમયે તા.૦૧-૦૯-૨૦૨૫ ના રોજ મોરબી તાલુકા કક્ષાનાં...
મોરબી જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે ગણેશ ચતુર્થિના પર્વ નિમિતે ભગવાનશ્રી ગણેશજી પ્રતિમાઓની સ્થાપના થનાર છે. જેથી તા.૨૭/૦૮/૨૦૨૫ ના રોજ ગણપતિ મૂર્તિની સ્થાપના થયા બાદ ગણપતિ વિસર્જન સુધીના સમય દરમિયાન ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાનાર છે.
બાદમાં ગણપતિ સ્થાપના સ્થળથી વિસર્જન સરઘસ કાઢી મૂર્તિઓને પાણીમાં વિસર્જન કરી ઉત્સવની ભવ્ય ઉજવણી...
આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા દ્વારા માળિયા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માનવસર્જિત જળબંબાકાર પુરની સ્થિતિ નિવારવા માળિયા મામલતદારને આવેદનપત્ર પાઠવી ૧૫ દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.
આજે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા માળિયા શહેર અને માળિયા તાલુકાના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં માનવસર્જિત પુરની સ્થિતિ વારંવાર સર્જાતી હોઈ છે ત્યારે...