યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત સંકલ્પ નવરાત્રીમા આજે દશેરાએ મેગા ફીનાલે યોજાશે : આજે પણ મહિલાઓ માટે ફ્રી એન્ટ્રી
મોરબી : મોરબીમાં સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં દરરોજ મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબે ઘૂમે છે. નવરાત્રીના નવે નવ દિવસ રાસ ગરબાની રમઝટ બોલી હતી. આજે દશેરાના દિવસે નવ દિવસના વિજેતા ખેલૈયાઓ વચ્ચે મેગા ફાઇનલ યોજાશે. આજે પણ મહિલાઓ માટે એન્ટ્રી ફ્રી રાખવામાં આવી છે. લોકોને પણ આજે દશેરાએ રાસ ગરબાનો લાભ લેવા લોકોને અપીલ કરવામાં આવી છે.
મોરબીના જાણીતા યંગ ઇન્ડીયા ગ્રુપ દ્વારા તમામ સમાજના લોકો એક સાથે પારિવારિક માહોલમાં નવરાત્રી ઉજવી શકે તે માટે સંકલ્પ નવરાત્રી મહોત્સવનું ઘુનડા રોડ પર આવેલ વૈદેહી પાર્ટી પ્લોટમાં આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હજારોની સંખ્યામાં લોકો પરિવાર સાથે નવરાત્રી અને ગરબાનો આનંદ માણી રહ્યા છે. આજે દશેરાએ પણ સંકલ્પ નવરાત્રી મહોત્સવ ચાલુ રાખવામાં આવ્યો છે. આ અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, આજે દશેરાએ મેગા ફીનાલે યોજવાનો હોવાથી રાસ ગરબા ચાલુ રહેશે. આજે પણ તમામ જ્ઞાતિની મહિલાઓ માટે એન્ટ્રી ફ્રી રાખવામાં આવી છે અને આજે છેલ્લા દિવસે રાસ ગરબા રમવાનો પરિવાર સાથે લાભ લેવા લોકોને અપીલ કરી છે.
મોરબી જિલ્લાના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘને ગૌરવ અનુભવે છે કે જિલ્લાના અધ્યક્ષ તરીકે સેવા આપતા દિનેશભાઇ વડસોલાને ગુજરાત રાજ્યના HTAT (Head Teacher Aptitude Test) આચાર્ય સંવર્ગમાં રાજ્ય ઉપાધ્યક્ષ તરીકેની મહત્વપૂર્ણ જવાબદારી સોંપાઈ છે. દિનેશભાઇ વડસોલાએ શિક્ષક તરીકે પોતાની સેવાઓ દરમિયાન શિક્ષણ ક્ષેત્રે સતત નવીનતા, નેતૃત્વ અને સંગઠનાત્મક કાર્યક્ષમતા દર્શાવી છે....
(1) વર્ષ:- 2005 પછી નિમણુંક થયેલ શિક્ષકો કર્મચારીઓને જૂની પેંશન યોજના લાગુ કરવા બાબત,
(2) બીએલઓની કામગીરીમાં 90% જેટલા શિક્ષકો છે તો તમામ કેડરના કર્મચારીઓને બીએલઓની ફરજ સોંપવી તેમજ બીએલઓના મેડીકલ કારણો હોય,સરકાર માન્ય અને આયુષ્યમાન કાર્ડની સુવિધા ધરાવતી હોસ્પિટલમાં બાયપાસ ઓપરેશન કરાવેલ હોય,બધી જ ફાઈલ મામલતદાર કચેરીમાં રજૂ કરેલ...