સાર્વજનીક કાલી પુજા કમીટી ગ્રુપ (શ્યામા કાલીપુજા કમીટી મેમ્બર્સ ગ્રુપ) દ્વારા મોરબીના દરબારગઢચોકમાં, કાલીપુજાનું ભવ્ય અને શાનદાર આયોજન કરવામાં આવશે.
મોરબી માં દરબારગઢ ચોકમાં, તા.૧૨/૧૧/૨૦૨૩ રવિવાર થી તા.૧૫/૧૧/૨૦૨૩ બુધવાર ચાર દિવસ સુધી શ્યામા કાલીપુજા કમીટી મેમર્બ્સ દ્રારા છેલ્લા ૨૬ વરસથી કાલીપુજા મહાઉત્સવનું શાનદાર અને ભવ્ય આયોજન કરવામાં આવે છે. જેના મુખ્ય કમીટી મેમ્બર્સ નિર્મલભાઈ, લાલુદાસભાઈ, દિપકભાઈ, અશોકભાઈ, સદાનંદભાઈ, બાબુભાઈ, સોમનાથભાઈ, દિલુભાઈ, ભોલાભાઈ અને તમામ મેમ્બર્સ દ્વારા કાલીપુજા પંડાલનું જાજરમાન અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે. માં કાલીની ભવ્ય મૂર્તિ મિનૌતિબેન દિપકભાઈ હાજરા દ્વારા અર્પણ કરવામાં આવેલ છે.
કાલીપુજા બંગાલમાં જ નહી પરંતુ સંપુર્ણ દેશમાં પણ ધામ ઘુમથી ઉજવવામાં આવે છે ચાર દિવસ ચાલતા આ ઉત્સવમાં સ્થાપના, માં કાલીપુજા અર્ચના,ચંડી પાઠ, પુષ્પાજંલી, મહા આરતી, ખીચડી મહા પ્રસાદ,મયાર ચંડીથ, અન્ન પ્રસાદ,ઢોલ, મહાઆરતી અને વિર્સજન જેવા અનેક કાર્યક્રમો પણ ઉજવવામાં આવે છે. અને તા.૧૫/૧૧/૨૦૨૩ના દિવસે કાલીપુજાનું ભવ્ય વિર્સજન કરવામાં આવશે.
બપોરે આરતીનો સમય : રોજ બપોરે ૧૨ થી ૧ વાગ્યા પછી રાત્રે મહા આરતીનો સમય: રોજ રાત્રે ૯ વાગ્યા પછી રાત્રે મહા આરતી પછી : ખીચડી પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. વિર્સજન યાત્રા : તા.૧૫/૧૧/૨૦૨૩ બુધવાર સાંજે ૫ વાગ્યા પછી
ભારતની મહાન સંસ્કૃતી અને બંગાલની પરમપરાનું સમન્વય કાલીપુજા માં થાય છે કાલીપુજા પંડાલમાં અનુષ્ઠાન, સ્થાપન, પુજન, અર્ચન, મહા આરતી અને સ્તુતિ કરવામાં આવે છે.માં કાલી સત્ય અને ન્યાય ના દેવી છે ન્યાય અને ભકતોની રક્ષા માટે માં કાલીએ રકતબીજ, ધૂમ્રલોચન, શુભ-નિશુભં, સહીત અનેક અસુરોનો સંહાર કરીયો છે અને ધર્મ અને સત્યની સ્થાપના કરી છે જેના અનુસંધાનમાં કાલીપુજાનું આયોજન કરવામાં આવ્યું છે.તો આ શુભ અવસરનો લાભ લેવા મોરબીની તમામ જાહેર જનતાને ભાવભર્યુ અને હદય પૂર્વક આમંત્રણ તમામ કમીટી મેમ્બર્સ અને આયોજક તરફથી પાઠવવામાં આવે છે.
કાલી પુજાને લગતી વધારે માહિતી માટે અને કોઈ પણ પ્રશ્ન માટે મોહિતભાઈ રાવલનો મોબાઈલ નં- ૭૯૯૦૨૧૫૦૯૯ પર સંપર્ક કરી શકો છો.
મોરબી મહાનગરપાલિકાની હદવિસ્તાર માં સમાવેશ થતો હોય તેવા મિલકત આસામીઓને વર્ષ 2025-26નું વિવિધપ્રકારના ટેક્સનું બાકી ઉઘરાણું હોય તેવા બાકીદારો પાસે થી ટેક્સ વસુલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મિલકત વેરા શાખાના કર્મચારીઓ એ વોટ બજવણી અને સીલિંગ કામગીરી હાથ ધરી હતી. જે કામગીરી મોરબી મહાનગર પાલિકાની મિલકત વેરા શાખા...
મોરબી મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનજમેન્ટ શાખા દ્વારા કલ્સટર-4 આવેલ ભડિયાદ વિસ્તારમાં નાયબકમિશનરએ સાઇટ વિઝિટ કરી આ વિસ્તારની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
જેમાં સો-ઓરડી મેઇન રોડ, ચામુંડા નગર થી ઉમિયા નગર મેઇન રોડ, માળીયા વનાડીયા, સહિતના વિસ્તારોમાં કામ કરતાં સફાઇ કામદારોની નાયબ કમિશનર પ્રોજેક્ટ સંજયકુમાર સોની દ્વારા સાઇટ વિઝિટ કરી આ...
મોરબી શહેરમાં ઉમિયા સર્કલ થી દલવાડી સર્કલ સુધીનો કેનાલ પાસેનો સિમેન્ટ કોંક્રીટ રોડ બનાવીને ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવવા જનરલ સેક્રેટરી ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસોસિએશન ગુજરાત પ્રદેશના કાંતિલાલ બાબર વાય મુખ્યમંત્રીને રજૂઆત કરી માંગ કરી છે.
રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબી શહેરમા ઉમિયા સર્કલ જે શનાળા રોડ પર આવેલ છે. અને...