Saturday, April 27, 2024

સુશાંત સિંહ રાજપૂતની બહેને તેના ભાઈ પર ફિલ્મ બનાવતા નિર્માતાઓને આડેહાથ લેતા કહ્યું કે…….

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

બોલીવુડ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં દુઃખમાંથી આજે પણ તેમનો પરિવાર અને ચાહકો બહાર આવી શક્યા નથી. સુશાંતના મોતથી સમગ્ર રાષ્ટ્ર હચમચી ઉઠ્યું હતું. તે જ સમયે, અભિનેતાના મૃત્યુ પછી, તેમના જીવન પર ઘણી ફિલ્મો બનવાના અહેવાલો પણ આવ્યા હતા. આ સાથે જ સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા પર આઘારીત ફિલ્મ ‘ન્યાય: ધ જસ્ટિસ’નું ટીઝર રિલીઝ થયું છે. આ પછી જ દિવંગત અભિનેતાનો પરિવાર સુશાંત પર ફિલ્મ બનાવવાનો દાવો કરનારા નિર્માતાઓથી નારાજ છે. સુશાંતના પિતા કૃષ્ણ કિશોર સિંહે આ ફિલ્મ પર રોક લગાવવા માટે પહેલા દિલ્હી હાઈકોર્ટ પહોંચ્યા હતા. આ સાથે જ સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ નિર્માતાઓ પર ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેણે ચાહકોને અપીલ કરી કે સુશાંતની છબીને ખરાબ ન થવા દે. સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર તેમના ભાઈની અંગત જિંદગી પર ફિલ્મો બનાવનારા લોકો પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું કે આવા કૃત્યનું ચિત્રણ કરવું એ ગોપનીયતાના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન છે. શ્વેતાએ લખ્યું છે કે તેના કાનૂની વારસદારની પરવાનગી લીધા વગર આ કરી શકાતું નથી. શ્વેતાએ ટ્વિટમાં લખ્યું કે, ચાલો આપણા પ્રેમ દ્વારા સુશાંતની છબી સાફ રાખવા તરફ કામ કરીએ. તે જ રીતે જેમ તેઓ હતા. ચાલો આપણે શપથ લઈએ કે આપણે કોઈને પણ તેમની છબી ખરાબ કરવા નહીં દઈએ.’

તમને જણાવી દઈએ કે તાજેતરમાં સુશાંત સિંહ રાજપૂત પર આધારિત ફિલ્મ ‘ન્યાય: ધ જસ્ટિસ’ નું ટીઝર રિલીઝ થયું છે, જે 58 સેકંડનું છે. તેની શરૂઆત ચેનલ પર આવનાર બ્રેકિંગ ન્યૂઝથી થાય છે. ટીઝર વીડિયોમાં તમે જોઈ શકો છો કે સુશાંતના નિધન બાદ જે દ્રશ્ય બહાર આવ્યા હતા તે જ રીતે તેમાં બતાવવામાં આવ્યા છે. વીડિયોમાં સુશાંતના રૂમમાં પંખાથી લટકાયેલો લીલા રંગનો સ્કાર્ફ બતાવવામાં આવ્યો છે. આ પછી સુશાંત અને રિયા ચક્રવર્તી વચ્ચેના સંબંધો બતાવાયા છે. સુશાંતનો કિરદાર જુબેર દ્વારા નિભાવવામાં આવ્યો છે. જ્યારે શ્રેયા શુક્લા દ્વારા રિયાનો કિરદાર નિભાવવામાં આવ્યો છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર