મોરબી: ટંકારા તાલુકાના છતર ગામે દેવીપૂજક વાસમાં અબ્દુલ ભાઈની દુકાન નજીક અહી ગાળો ન બોલો બહેન દીકરીઓ નીકળતી હોય તેમ કહેતા ઉશ્કેરાયેલા ત્રણ શખ્સોએ સગીરને મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ટંકારા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના છતર ગામે દેવીપૂજક વાસમાં રહેતા કિષ્નાભાઈ રાજેશભાઈ પરમાર (ઉ.વ.૧૭)એ તેમના જ ગામના પ્રવિણ દેવજીભાઈ પરમાર તથા યુવરાજભાઈ ભાઈલાલભાઈ પરમાર તથા સોહન ભુપતભાઇ પરમાર વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૧-૧૦-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે ટંકારાના છતર ગામે દેવીપૂજક વાસમાં અબ્દુલ ભાઈની દુકાન નજીક આરોપી જાહેરમા ભુડા બોલી ગાળો બોલતા હોય તેથી ફરિયાદીએ કહેલ કે તમો ગાળૉ ન બોલો અહી બહેન દિકરી ઓ નીકળતી હોય જેથી ત્રણેય આરોપી ઉશ્કેરાઇ જઈ ફરીયાદીને છાતી તેમજ પેટ અને માથા ના ભાગે ઢીકાપાટુ માર મારી જાન થી મારી નાખવાની ધમકી આપી હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ત્રણે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો ઇ.પી.કો. કલમ- ૩૨૩, ૫૦૪,૫૦૬(૨),૧૧૪ મુજબ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના સીરામીક ઉદ્યોગ સાથે સંકળાયેલી પેઢીઓના નામે આઇસગેટ પોર્ટલમાં ખોટા દસ્તાવેજો અપલોડ કરી મોટી સાયબર ઠગાઈ થયા અંગેનો મામલો સામે આવ્યો છે. જેમાં અજાણ્યા આરોપીઓએ ખોટા ઇ-મેઇલ, મોબાઇલ નંબર અને ડિજિટલ સિગ્નેચર બનાવી યુઝર આઈડી તૈયાર કરી સરકાર તરફથી એક્સપોર્ટ પ્રોત્સાહન હેઠળ મળનારી રોડટેપ સ્ક્રિપ્સ અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી...
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ઉછીના આપેલા રૂપિયા પરત માંગતા યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો મામલો સામે આવ્યો છે. સતત હેરાનગતિ અને ભયના માહોલથી કંટાળી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી હતી. આ મામલે મૃતકના બનેવીએ ત્રણ શખ્સો સામે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદને...