મોરબી: ટંકારા તાલુકાના ધ્રુવનગર ગામની સીમમાં પ્રૌઢે ઝેરી દવા પી આપઘાત કર્યો હોવાનું ટંકારા પોલીસ મથકેથી જાણવા મળ્યું હતું.
મળતી માહિતી મુજબ મુળ જુનાગઢના વતની અને હાલ મોરબીના રવાપર રોડ લવ હિલ એપાર્ટમેન્ટમાં બ્લોક નં -૫૦૩મા રહેતા હરીભાઇ ભીમજીભાઈ બેરા (ઉ.વ.૫૬) એ ગત તા.૨૯-૦૯-૨૦૨૨ ના રોજ ટંકારાના ધ્રુવનગર ગામની સીમમાં કોઈ કારણસર ઝેરી દવા પી જતા સારવાર અર્થે ટંકારા સીવીલ હોસ્પિટલમાં લાવતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યો હતા. આ બનાવમાં અંગે ટંકારા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી દ્વારા સંચાલિત શ્રી આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિક, મોરબી દ્વારા મફત ફિઝીયોથેરાપી આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં આશરે ૩૦ જેટલા દર્દીઓએ લાભ મેળવ્યો હતો, જેમાં વિવિધ પ્રકારની ફિઝીયોથેરાપી સંબંધિત સમસ્યાઓ માટે નિદાન, સારવાર તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ફિઝીયોથેરાપી કેમ્પનું નેતૃત્વ ડૉ. હિરલ જાદવાની,...
હળવદ માળિયા હાઈવે રોડ ઉપર ફાઉન્ટન હોટલના ગ્રાઉન્ડમાં આધેડની ટ્રક ઉભી હોય તેના પર ચાર અજાણ્યા શખ્સો દ્વારા પથ્થરના ઘા મારતાં હોય જેથી આધેડે તેને શા માટે નુકસાની કરો છો તેમ કહેતા આરોપીઓએ આધેડને ઢીકાપાટુનો મુંઢમાર મારી ટ્રકમાં નુકસાની કરી હોવાની ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મૂળ ઉત્તરપ્રદેશના વતની...