ટંકારા: ટંકારા તાલુકાના ઘુનડા (સજનપર) ગામે અજાણ્યો પદાર્થ પી જતા વૃદ્ધનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ઘુનડા (સજનપર) ગામે રહેતા મનૃસુખ રૂપાભાઈ પાટળીયા ઉ.વ.૬૬ વાળા પોતાની વાડીએ તા.૦૮-૦૪-૨૦૨૪ ના સવારના અગીયારેક વાગ્યે પોતાની વાડીમાં કોઈ અજાણ્યો પદાર્થ પી બેભાન થઈ જતાં સારવાર અર્થે સીવીલ હોસ્પિટલ મોરબીમાં લાવતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે ટંકારા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
