મોરબી: નેકનામથી વાછકપર જતા ગ્રામીણ માર્ગે નેકનામ તળાવ પાસે ટ્રેક્ટરે રિક્ષાને ઠોકર મારતાં બે મહીલા સહિત એક માસુમ મળી કુલ ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા. આ બનાવ ટંકારા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ ટંકારાના વાછકપર ગામે રહેતા અરવિંદભાઈ ગાંડુભાઈ સાકરીયા એ આરોપી ટ્રેકટર નં – GJ-36-R-0341 ના ચાલક ભગવાનજીભાઈ પટેલ રહે નેકનામ તા. ટંકારા વાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત ૧૩-૧૦-૨૦૨૨ ના રોજ સાંજના સાતેક વાગ્યાના અરસામાં આરોપીએ પોતાના હવાલાવાળૂ ટ્રેકટર નં. GJ-36-R-0341 વાળુ પુર ઝડપે અને મનુષ્યની જીદગી જોખમાઇ તે રીતે ગફલતભરી રીતે ચલાવી ફરીયાદીના ખેતમજુર બેઠા હતા તે છકડૉ રિક્ષા જેના નં GJ- 03- Z-3224 વાળીને ઠોકર મારતા લીલાબેન મેડાને માથાના ભાગે ગંભીર પ્રકારની ઇજા પહોચાડી તેમજ કાર્તીક ઉ.વ.૦૨ વાળાને ડાબા હાથમા ફેક્ચર જેવી ઇજા પહોચાડી તેમજ શર્મીલાબેન બાભણીયા મુઢ ઇજા પહોચાડી ટ્રેકટર લઇ આરોપી નાશી ગયો હતો. આ બનાવ અંગે અરવિંદભાઈએ આરોપી વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ IPC કલમ ૨૭૯,૩૩૭,૩૩૮ એમ.વી.એક્ટ કલમ ૧૭૭,૮૪,૧૩૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...