દિલ્હીની સરહદો પર કૃષિ કાયદાઓનો વિરોધ કરતા ખેડુતોના આંદોલનને પગલે આજે 70 મો દિવસ છે. ગાઝીપુર બોર્ડર, સિંધુ સરહદ અને ટીકરી બોર્ડર પર ખેડૂતોની ભીડ સતત વધી રહી છે. આજે રોહતક અને જીંદમાં ખેડૂતોની મહાપંચાયત થશે. બંને સ્થળોએ ખેડૂત નેતા રાકેશ ટિકૈત સામેલ થશે. સાથે જ લાલ કિલ્લાના કેસની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. લાલ કિલ્લા પર ઉપદ્રવ કરનાર દીપ સિદ્ધુ સહિત ચાર વિરુદ્ધ એક લાખનું ઇનામ જાહેર કર્યું છે. 26 જાન્યુઆરીની હિંસાના આરોપી દીપ સિદ્ધુ, જુગરાજ સિંહ, ગુરજોત સિંહ અને ગુરજંત સિંહની જાણ કરનારાઓને દિલ્હી પોલીસે એક લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે. હિંસામાં સામેલ થવા બદલ જાઝબીરસિંહ, બૂટા સિંઘ, સુખદેવસિંહ અને ઇકબાલ સિંહની ધરપકડ માટે પ્રત્યેકને 50000 રૂપિયાનું ઇનામ દેવાની ઘોષણા કરી છે.
લાલ કિલ્લામાં થયેલી હિંસાના મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી.
આજે સુપ્રીમ કોર્ટ ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં 26 જાન્યુઆરીએ હિંસા સંબંધિત જાહેર હિતની અરજીઓની સુનાવણી કરશે. પ્રજાસત્તાક દિનના દિવસે ટ્રેક્ટર રેલી દરમિયાન વિરોધીઓ લાલ કિલ્લા પર ચઢ્યા હતા અને ધાર્મિક ધ્વજ પણ લહેરાવ્યો હતો. 27 જાન્યુઆરીએ સુપ્રિમ કોર્ટમાં બે અરજીઓ દાખલ કરવામાં આવી હતી. આ કેસોમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવશે. આજે જીંદના કંડેલા ગામમાં યોજાનારા ભાકિયુના રાષ્ટ્રીય પ્રવક્તા, રાકેશ ટિકૈતની મહાપંચાયતમાં એકઠા થનારી ભીડ, જીંદમાં ખેડૂત આંદોલન માટે નવી વ્યૂહરચના તરીકે કામ કરશે. જો ભીડ ધારણા કરતા વધારે આવે, તો આંદોલનની રૂપરેખા સ્ટેજ પરથી જ રજૂ કરવામાં આવશે. નહીં તો આંદોલનની રણનીતિ લોકોને બાદમાં જણાવી દેવાશે. આજે ખેડૂત આગેવાન ટિકૈત પહેલા કંડેલા અને ત્યારબાદ ખટકર ટોલ ઉપર ચાલતા ધરણા સ્થળ પર લોકોને સંબોધન કરશે.
![Chakravatnews](https://www.chakravatnews.co.in/wp-content/uploads/2022/03/MY-CH-3-300x300.jpg)
![Chakravatnews](https://www.chakravatnews.co.in/wp-content/uploads/2022/03/SAVE_20220314_222815-300x234.jpg)