આજે લાભ પાંચમ: વેપારીઓ શરૂ કરશે આજથી ધંધા-રોજગારની શરૂઆત
આજે લાભ પાંચમનો તહેવાર હર્ષ અને ઉલ્લાસભેર ઊજવવામાં આવશે. ત્યારે લાભ પાંચમ એટલે દિવાળીના તહેવારનો છેલ્લો દિવસ કહેવાય છે. તેને સૌભાગ્ય લાગ પાંચમ પણ કહેવામાં આવે છે. આજના દિવસે જીવન વ્યવસાય અને પરિવારમાં લાભ, સારૂ ભાગ્ય અને ઉન્નતિ થાય છે. નવા વર્ષ બાદ લાભ પાંચમનો દિવસ કામકાજ શરૂ કરવા માટે પહેલા દિવસ માનવામાં આવે છે.
એવું માનવામાં આવે છે કે લાભ પંચમીના દિવસે કરવામાં આવતી પૂજા પૂજા કરનારના જીવનમાં, વ્યવસાયમાં અને પરિવારમાં લાભ, આરામ અને સૌભાગ્ય લાવે છે. ગુજરાતમાં, મોટા ભાગના દુકાન માલિકો અને વેપારીઓ દિવાળીના તહેવારો પછી લાભ પાંચમ પર તેમની વ્યવસાયિક પ્રવૃત્તિઓ ફરી શરૂ કરે છે. તેથી ગુજરાતમાં, લાભ પાંચમએ ગુજરાતી નવા વર્ષનો પ્રથમ કાર્યકારી દિવસ છે. આ દિવસે ઉદ્યોગપતિઓ નવા એકાઉન્ટ લેજર્સનું ઉદ્ઘાટન કરે છે, જેને ગુજરાતીમાં ખાતુ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં ડાબી બાજુ શુભ, જમણી બાજુ લાભ લખીને અને પ્રથમ પૃષ્ઠની મધ્યમાં સાથિયા દોરવામાં આવે છે.આ દિવસે કોઈ પણ નવા કામની શરૂઆત કરવી ખૂબ શુભ અને ફળદાયી હોય છે. હિંદુ ધર્મની પૌરાણિક માન્યતાઓ મુજબ આ દિવસે કોઈ નવો વેપાર શરૂ કરે છે તો તેને ફાયદો થાય છે.
લાભ પાંચમના દિવસે વેપારી નવા ખાતાવહી શરૂ કરે છે અને ખાતાવહીમાં લાલ કંકુથી શુભ-લાભ લખે છે અને ભગવાન ગણેશનો નામ લખાય છે અને સાથિયો પણ બનાવે છે.સાથે મંત્રો દ્વારા ભગવાન ગણેશનો ધ્યાન કરાય છે. વિધિ વિધાનથી આ પર્વને ઉજવીએ છે. ધન-ધાન્ય અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. આ દિવસથી વેપારીઓ તેમના ધંધો વેપારની શરૂઆત કરે છે અને દુકાન ખોલે છે જેનાથી માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની કૃપાથી સુખ- સમૃદ્ધિ મળે છે. આ દિવસે ધનની દેવા લક્ષ્મીની સાથે વિદ્યાની દેવી શારદાની પણ પૂજા કરાય છે.